Book Title: Astittva ane Ahimsa Author(s): Mahapragna Acharya, Rohit A Shah Publisher: Anekant Bharati Prakashan View full book textPage 8
________________ સંપાદકીય (હિન્દી આવૃત્તિ) ૦ અસ્તિત્વ એક સાર્વભૌમ સત્ય છે. જે છે, તે અસ્તિત્વ છે. જેનું અસ્તિત્વ છે, તે છે. તેનું હોવું આપણી સ્વીકૃતિ/અસ્વીકૃતિ ઉપર નિર્ભર નથી. ૦ અસ્તિત્વ શાશ્વત છે. તે ગઈકાલે પણ હતું, આજે પણ છે, આવતીકાલે પણ હશે. અસ્તિત્વ નિરંતર અસ્તિત્વમાં પરિણમન કરતું રહે છે, તેથી તેનું ક્યારેય નાસ્તિત્વ થતું નથી. એનો અર્થ છે – અસ્તિત્વ અજર-અમર છે. એક માણસ જન્મે છે, મૃત્યુ પામે છે પરંતુ આત્માનું અસ્તિત્વ ટકી રહે છે. જન્મ અને મૃત્યુની પરંપરાથી પર છે આત્માનું અસ્તિત્વ. આજે એક પુસ્તક છે. આવતીકાલે તે નાશ પામી શકે છે, પરંતુ પરમાણુનું અસ્તિત્વ ક્યારેય નાશ પામતું નથી. હિંસા મૃત્યુ છે, કોઈકને મારવું તે હિંસા છે. જે જન્મે છે તે મૃત્યુ પામે છે. જે જન્મતો જ નથી, તે મૃત્યુ પામશે કેવી રીતે ? અસ્તિત્વ અનાદિ છે. જેનો આદિ નથી, તેનો અંત કેવી રીતે હોઈ શકે? જે અમર અને શાશ્વત છે, તેને કોણ મારી શકે ? ૦ પ્રશ્ન એ પણ છે કે – શું હિંસા અસ્તિત્વ સાથે જોડાયેલી છે ? શું હિંસા થશે તો અસ્તિત્વ નહિ રહે ? શું અહિંસા અને અસ્તિત્વ વચ્ચે કોઈ સંબંધ છે ? જો બન્ને વચ્ચે સંબંધ હોય તો સંબંધસેતુ કયો છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 274