Book Title: Astittva ane Ahimsa Author(s): Mahapragna Acharya, Rohit A Shah Publisher: Anekant Bharati Prakashan View full book textPage 6
________________ ma ) યોગક્ષેમ વર્ષનો મધ્ય ભાગ. ચાતુર્માસનો પ્રારંભ. વરસાદ થકી સ્નિગ્ધ ભૂમિ. ચારે તરફ બીજવપનનો ઉપક્રમ. આફ્લાદક મોસમ. મનભાવન વાતાવરણ. સુધર્મા સભાનું સમવસરણ. ગણાધિપતિ શ્રી તુલસીની પાવન નિશ્રા. સાધુ -સાધ્વીજીઓની જિજ્ઞાસાસભર ઉપસ્થિતિ. યોગક્ષેમ વર્ષમાં ભાગ લેનારા તત્ત્વજ્ઞ તથા સ્નાતક વર્ગના શિક્ષણાર્થીઓની લાંબી કતાર. હજારો સુજ્ઞ શ્રોતાઓનો શ્રદ્ધાભર્યો સમૂહ. અઢી હજાર વર્ષ અગાઉ ઉગીર્ણ મહાવીરI વાણી. તેનું એક નાનકડું સંકલન. નામ એનું આચાર A (આયારો). કેટલું બધું અંતર ! ક્યાં એ અંતર્દષ્ટિ અને 4 અંતર્નાન દ્વારા સત્યની શોધ કરનારો યુગ અને ક્યાં વૈજ્ઞાનિક સાધનો વડે સત્યને શોધનારો યુગ ! કેવું જટિલ છે આ બન્ને વચ્ચે સામંજસ્ય સ્થાપવાનું ! આમ છતાં કોઈ મુશ્કેલી ન પડી. ગણાધિપતિશ્રીની નિશ્રા એક સેતુ છે. જેના દ્વારા અતીત અને વર્તમાન બન્ને નજીક આવી જાય છે. મહાવીરનો આચાર આત્મપ્રધાન અથવા અધ્યાત્મપ્રધાન હતો તેથી વૈજ્ઞાનિક યુગમાં પણ તે અપ્રસ્તુત ન બન્યો. જો તે ક્રિયાકાંડપ્રધાન હોત તો તેની પ્રાસંગિકતા પણ ખતમ 4) થઈ ગઈ હોત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 274