________________
આપ્તવાણી-૫
તે લેવા પડશે. આ રૂપિયા ધીર્યા હોય તે છોડી દઈએ પણ ત્યાગનું ફળ આવે ત્યારે લેવું જ પડે.
૧૯
પ્રશ્નકર્તા : બધાં શાસ્ત્રોનો હેતુ તો આત્માનું દર્શન કરવાનો જ ને ? તો પછી આત્માનું દર્શન કેમ થતું નથી ? ‘ઈગોઈઝમ’ કેમ વધે છે ?
દાદાશ્રી : ‘ઈગોઈઝમ' વધે છે તેય બરાબર છે, કારણ કે એ ડૅવલપમેન્ટ' છે. આ કોલેજમાં છેલ્લામાં છેલ્લું પી.એચ.ડી. થવા જાય છે, પણ જેટલા થયા તેટલા સાચા. બધા ના થાય. ધીમે ધીમે ‘ડેવલપ’ થાય. ‘ઈગોઈઝમ’ વધે છે, તેય બરાબર છે. એમાં જે છેલ્લા ‘ગ્રેડ’ના બે-ચાર હોય તેને ‘જ્ઞાની પુરુષ' મળે એટલે એ પાસ થાય. ત્યાં સુધી એમ કરતાં કરતાં આગળ વધે છે. પહેલું આ ‘ઈગોઈઝમ’ને ઊભું કરે છે. હિન્દુસ્તાનની બહાર ‘ઈગોઈઝમ' જે છે તે સાહજિક ‘ઈગોઈઝમ’ છે. એમનું ‘ઈગોઈઝમ’ કેવું છે ? જ્યાં જવાનું છે ત્યાં આગળ જવાનું ‘ઈગોઈઝમ’ કરે છે ને જ્યાં નથી જવાનું, ત્યાં નથી જવાનું ‘ઈગોઈઝમ’ કરે છે ને આપણે જ્યાં નથી જવાનું ત્યાં જવાનું ઊભું કરી દે અને જ્યાં જવાનું છે ત્યાં ના કહી દે ! આપણે અહીં બધું વિકલ્પી ‘ઈગોઈઝમ’ છે. એ લોકોને સાજિક ‘ઈગોઈઝમ’ હોય છે. ગાય-ભેંસોને હોય છે તેવું. ત્યાં ચોરી કરનારો ચોરી કર્યા કરે, બદમાશી કરનારો બદમાશી કરે અને ‘નોબલ’ હોય એ નોબલ રહ્યા કરે. આપણે અહીં તો નોબલેય ચોરી કરે અને ચોરેય નોબેલિટી કરે. એટલે, આ દેશ જ અજાયબ છે ને ? આ તો ‘ઇન્ડિયન પઝલ' છે ! જે કોઈથી ‘પઝલ’ સોલ્વ ના
થાય. ફોરેનવાળાની બુદ્ધિ લડી લડીને થાકે, પણ એમને આનું ‘સોલ્યુશન’ ના જડે. કાકાનો છોકરો એમ કહે કે ગાડી અપાય એવી નથી, સાહેબ આવવાના છે ! આખો અહંકાર જ કપટવાળો !
અને જે ક્રિયાઓ કરે છે એ બધું બરોબર છે. એ અહંકાર વધારે છે અને એમ કરતાં કરતાં બધા અનુભવ ચાખી ચાખીને પછી આત્માનુભવ
થાય.
આપ્તવાણી-૫
પ્રશ્નકર્તા : પછી છેવટના ‘સ્ટેજે' અહંકાર નીકળી જાય ?
દાદાશ્રી : પછી એને જ્ઞાની મળી આવે. દરેક ‘સ્ટાન્ડર્ડ’ના શિષ્યો તૈયાર થાય તે પ્રમાણે એને માસ્તર મળી આવે, એવો નિયમ છે.
૨૦
કર્તા થયો કે બંધન થયું. પછી ગમે તેનો કર્તા થાય ! સકામ કર્મનો કર્તા થા કે નિષ્કામ કર્મનો કર્તા થા, કર્તા થયો એ બંધન. નિષ્કામ કર્મનું સુખ પડે, સંસારમાં શાંતિ મળે ને સકામનું દુઃખ આવે. વળગણ કોને ?
પ્રશ્નકર્તા : આત્માને જે શરીરનું વળગણ છે, પુદ્ગલનું. તેથી ભટકે છે ?
દાદાશ્રી : વળગણ આત્માને લાગતું જ નથી. આ તો બધું અહંકારને જ છે. અહંકાર છે તો આત્મા નથી અને આત્મા છે તો અહંકાર નથી.
પ્રશ્નકર્તા : તો આત્માને મોક્ષ આપવાનો છે ને ?
દાદાશ્રી : આત્મા મોક્ષમાં જ છે. એને દુઃખ જ નથી ને ! જેને દુઃખ હોય તેનો મોક્ષ કરવાનો છે. પોતે બંધાયેલોય નથી, મુક્ત જ છે. આ તો અજ્ઞાનથી માને છે કે ‘બંધાયેલો છું’ અને ‘મુક્ત છું” એનું જ્ઞાન થાય એટલે મુક્ત થયો. ખરી રીતે બંધાયેલોય નથી. એ માની બેઠો છે. લોકોય માની બેઠા છે એવું આય માની બેઠો છે. લોકોમાં હરીફાઈ છે બધી આ. ‘મારું-તારું’ ભેદ પડ્યા એ બંધનને મજબૂતી કરે
છે.
પ્રશ્નકર્તા : દાદા, એ એકદમ ઊતરવું જરા મુશ્કેલ થઈ પડેને ? દાદાશ્રી : તેથી જ તો આ બધું અંતરાયું છે ને ! સમકિત થતું નથી તેનું કારણ જ આ છે. તેથી તો કહ્યું છે કે, આત્મજ્ઞાન જાણો ! આત્મા શું છે, એને જાણો. નહીં તો છૂટાશે નહીં ! શાસ્ત્રકારોએ બહુ બહુ દાખલાઓ આપ્યા છે, પણ એ સમજ પડે તો ને ? આત્મજ્ઞાની હોય ત્યાં જ છૂટકારો થાય. જ્ઞાની સમજાવે કે, ‘કેટલા ભાગમાં તું કર્તા