________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
જ્ઞાની છતાં અભિમાનની રેખા નહીં તન મન મહીં, વિકૃષ્ટતપ તપતાં છતાં સમતા ભરી તન મન મહીં, સમુદાય છે સુવિશાળ પણ સ્વામિત્વની નહીં ખેવના, ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરું વંદના. ૫
યોદ્ધા બની ખૂંખાર આંતર જંગ ખેલે ખંતથી, જીતો મળે કે ના મળે પણ ઝુઝતા મનરંગથી, કર્મો તણી સેના થતી ભયભીત લે તુજ નામ ના, ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરું વંદના. ૬
અમીઓ તણી ઉર્મિ વહે તે ઝંખતો સાગર સદા, જે સૌમ્યતા મુખ પર તરે તે ઝંખતો ચાંદો સદા, ગુરુ સમ સહનશક્તિ મળો છે પૃથ્વીની એક ઝંખના, ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરું વંદના. ૭
સાગર છલકતા આંસુડા વહેતા તમારી યાદમાં, પળ પળ યુગો સમ જાય ગુરુવર ખેદ ને વિષાદમાં, જન્મોજનમ તુજ સાથ હો કલ્યાણકર એ કામના, ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરું વંદના. ૮
-પંન્યાસ શ્રી કલ્યાણબોધિ ગણિવર્ય
For Private and Personal Use Only