Book Title: Ama Apne Kya
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 5
________________ સબૂર ! લોખંડની ખીલીને લાકડા સાથે જોડી દેવાની ચેષ્ટા કરાવતી બુદ્ધિ જ જો ગેરહાજર છે તો ? લાકડું હાજર હોવા છતાં એના સહારે નદી તરી જવાની સંભાવના ધરાવતી લોખંડની ખીલી નદીના પાણીમાં ડૂબી જાય છે. સ્વતંત્રતાનું પોત આમ જોવા જાઓ તો લોખંડની ખીલીનું છે. સંસાર સાગરમાં આત્માને ડુબાડી દેવા સિવાય એ બીજું કાંઈ જ કરતી નથી. પણ સત્યોત્રનું પોત લાકડાના ટુકડાનું છે. આંખો ગોઠવાઈ જાય છે પ્રભુ તરફ અને એના સહારે આત્મા તરી જાય છે આ સંસાર સાગર, કાન ગોઠવાઈ જાય છે જિનવાણી શ્રવણમાં, જીભ ગોઠવાઈ જાય છે પ્રભુ સ્તવનામાં અને ગુણાનુવાદમાં, પગ વળવા લાગે છે પ્રભુ મંદિર તરફ, હાથ ગોઠવાઈ જાય છે, કોકને ટેકો આપવામાં અને મન ભાવિત થતું રહે છે શુભ ભાવનાઓથી અને મંગળ મનોરથોથી. આત્મા સદ્ગતિ અને પરમગતિનો ભાજન બનીને જ રહે છે. પણ જવાબ આપો. સદ્ગુરુની આ ક્ષમતાને આપણે સમજી શક્યા છીએ ખરા? જીવનમાં એમની આ હદની અનિવાર્યતા આપણને સમજાઈ છે ખરી ? એમના હાથ અને સાથ વિના આ સંસારમાં આપણે અનાથ જ છીએ એ શ્રદ્ધા આપણા રોમરોમમાં પ્રતિષ્ઠિત થઈ ચૂકી છે ખરી ? આ કરુણ દશા ? ‘તમારા શરીર પરનાં વસ્ત્રો આટલા બધા મેલાં છે તો તમે એને ધોતા કેમ નથી ?' ‘હું કપડાં ધોઈ શકું એવી સ્થિતિમાં નથી' ‘કેમ ?' સબૂર ! T સ્વતંત્રતાને સત્યોત્રમાં જોડી દેવાની પ્રેરણા કરતો કોઈ સન્મિત્ર અર્થાતુ કલ્યાણમિત્ર જ જીવનમાં નથી મળ્યો તો? તો બીજું કાંઈ જ નથી બનતું. સ્વતંત્રતાના દુરુપયોગ દ્વારા આત્મા આ સંસારસાગરમાં આમથી તેમ ફંગોળાતો જ રહે છે. સત્યેત્રના સહારે જે સ્વતંત્રતા આત્મા માટે વરદાનરૂપ પુરવાર થઈ શકતી હતી એ જ સ્વતંત્રતા સત્યોત્ર સાથે ન જોડાઈ જવાના હિસાબે આત્મા માટે અભિશાપરૂપ પુરવાર થઈને જ રહે છે. શું કહું? સ્વતંત્રતા દુર્લભ જરૂર છે પણ સત્યેત્રની પ્રાપ્તિ થવી એ તો એથી ય વધુ દુર્લભ છે. અને સન્મિત્રનો યોગ થવો એ તો ભારેમાં ભારે દુર્લભ છે. પણ નસીબદાર છીએ આપણે સહુ કે આપણને આ ત્રણેય પરિબળોની પ્રાપ્તિ થઈ ગઈ છે. સ્વતંત્રતા હાથવગી છે, સોત્રો આંખ સામે છે અને સન્મિત્ર આપણને માર્ગદર્શન આપવા સતત તૈયાર છે. સભા : સન્મિત્રના સ્થાને કોને ગોઠવવાના? આનો જવાબ આપી દીધો છે પંચસુત્રના રચયિતાએ શ્રેષ્ઠતમ સન્મિત્ર છે, સદગ. જે પણ આત્માને એ મળી ગયા, એ આત્માનું દુર્ગતિગમન સ્થગિત થઈ ગયું જ સમજો. શું કહું ? સ્વતંત્રતા એ જો લોખંડની ખીલી છે, સક્ષેત્ર એ જો લાકડાનો ટુકડો છે. ‘ર્શેરબજારમાં પૂરેપૂરો ધોવાઈ ગયો છું” ‘શું વાત કરો છો ?” | ‘અરે, આગળ વધીને કહું તો મારા ઘરના બાથરૂમમાં કેટલાંક કપડાં એવા ભીનાં પડ્યા છે કે જેને નિચોવી શકવાની હાલતમાં હું નથી.’ ‘પણ કેમ ?' ‘ઘર માટે દોડધામ કરવામાં હું પૂરેપૂરો નિચોવાઈ ગયો છું’ ‘કમાલ કહેવાય? ‘કમાલ તો હવે આવે છે. કેટલાંક ધોયેલાં કપડાં ઘરની દોરીની નીચે જ પડ્યા છે. એને સૂકવી શકવાની મારામાં તાકાત જ નથી. - ‘કારણ ?' ‘ર્શેરબજારમાં ખાધેલ મારે ‘આવતી કાલે શું થશે મારું'ની મન પર જે ચિંતા સવાર થઈ ગઈ છે એ ચિંતામાં ને ચિંતામાં હું એવો સુકાઈ ગયો છું કે ઘરમાં રહેલ કપડાં સૂકવવાની મારામાં કોઈ તાકાત જ બચી નથી.’ જેના પણ જીવનમાં સદ્દગુરુ નથી એની આ જ હાલત છે. વિલાસી વાતાવરણમાં એના સદ્ગુણો ધોવાતા જ રહે છે. પ્રતિકૂળતાઓની વણઝાર એની સમાધિને નિચોવતી જ રહે છે અને સત્કાર્યસેવનના અભાવમાં એનું પૂર્વભવોપાર્જિત પુણ્ય સુકાતું જ રહે છે. પરિણામ? મોત પછી તો એ દુર્ગતિમાં રવાના થઈ જ જાય છે પરંતુ જીવન દરમ્યાન પણ એ સતત સંક્લેશનો શિકાર બનતો રહીને જાતને ત્રાસદાયક સ્થિતિમાં મૂકતો રહે છે. આ કરુણદશાના ભોગ ન બનવું હોય તો કલ્યાણમિત્રના સ્થાને જીવનમાં સને ગોઠવી જ દેજો. તમારી સ્વતંત્રતાને એ મારક નહીં બનવા દે. તમારા પુણ્યને એ પાપજનક નહીં બનવા દે, તમારી શક્તિઓને એ શ્રાપરૂપ નહીં બનવા દે. અનંતકાળે પ્રાપ્ત થયેલ સન્મિત્ર એ ખીલીને લાકડા સાથે જોડતી બુદ્ધિ છે. ૧0

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40