________________ પ્રભુપૂજા, એ બધું ય પરલોકમાં તો આપણી સાથે નથી જ આવવાનું. પરલોકમાં સાથે એ પૂજામાં આપણે મેળવેલા ભાવો, આપણે ઊભો કરેલો હૃદયનો ઉછળતો બહુમાનભાવ, આપણે અનુભવેલી ગદ્ગદતા એ જ આવવાનું છે. આ વાસ્તવીકતાનો સંદેશ સ્પષ્ટ છે. કેવળ સત્રવૃત્તિઓના સાતત્યપૂર્ણ સેવનથી જ આપણે સંતુષ્ટ થઈ જવાનું નથી. સસ્પ્રવૃત્તિઓને અનુરૂપ નિર્મળ પરિણતિના સ્વામી પણ આપણે બની જ જવાનું છે. દરિયામાં ઊછળતા મોજાંઓ તો જોયા છે ને ? મધદરિયે એક મોજું ઊછળે છે, એ બેસે છે એ પહેલાં એક બીજાં મોજાંને એ ઉછાળે છે. એ મોજુ બેસતા પહેલાં ત્રીજા મોજાને ઉછાળી દે છે અને એમ કરતાં કરતાં એક મોજું દિરયાના કિનારે પહોંચી જાય છે. બસ, આ જ કામ આપણે કરવાનું છે. આ જનમમાં કેળવેલી પરિણતિને આપણે ભૂવાંતરમાં સાથે લઈ જવાની છે, એ ભવની પરિણતિને આગલા ભવમાં આપણે સાથે લઈ જવાની છે અને આમ કરતાં કરતાં એક મંગળ ભવ, એક મંગળ દિવસ અને એક મંગળ પળ આપણા જીવનમાં એવી આવીને ઊભી કરી દેવાની છે કે જે મંગળ પળે આત્મા સંસાર સાગરનો પાર પામીને જ રહે, જેવો પ્રભુભક્તિમાં બેસું છું, મન એ જ પળે પ્રભુમાં લીન થઈ જાય છે.” સંતે જમણી બાજુ બેઠેલા ભગતને પૂછ્યું, ‘તમારા મનની સ્થિતિ શી છે ?" બાપજી ! પત્ની એવી કર્કશા મળી છે કે મારો સ્વભાવ અને બિલકુલ ફાવતો જ નથી અને એ હિસાબે મારાથી એ સર્વથા અનાસક્ત બની ગઈ છે. આખા દિવસમાં એક વાર પણ એનું મોટું હું જોવા પામતો નથી. બસ, આ જ કારણસર જેવો હું પ્રભુભક્તિમાં બેસું છું, સહજરૂપે જ મારું મન એમાં લીન બની જાય છે.' સંતે ત્રીજા ભગતની સામે જોઈને આ જ પ્રશ્ન પૂછ્યો, “ભગત, તમારી મનઃસ્થિતિ ?' ‘બાપજી , મેં તો લગન જ નથી કર્યા. જેવો પ્રભુ સામે હું બેઠો નથી અને પ્રભુમાં મારું ચિત્ત જાણ્યું નથી. આપણે તો લીલાલહેર જ છે.' સંતના આ ત્રણેય અનુયાયીઓના જવાબો સાંભળીને પેલા યુવકને પોતાના પ્રશ્નનો જવાબ આપવા સંતને વિનંતિ કરવાની જરૂર જ ન રહી. આ તાકાત છે પરિણતિની. તમને એ ક્યાંય આધા-પાછા થવા દેતી નથી. તમને એ નિરાશ થવા દેતી નથી. તમને એ નાસીપાસ થવા દેતી નથી. વિપરીત સંયોગોમાં ય એ તમારા ઉત્સાહને ધબકતો જ રાખે છે. નિવૃત્તિકાળમાં કે અશક્તિકાળમાં ય એ તમને પ્રસન્ન જ રાખે છે. વિપરીત પ્રકૃતિવાળા જીવો વચ્ચે ય એ તમને તમારા લક્ષ્યની નજીક જ રાખે છે. સભા : પરિણતિનું આવું સ્વામિત્વ પમાય શી રીતે ? એક જ ઉપાય છે. સત્રવૃત્તિઓનું રસપૂર્વકનું સાતત્યપૂર્ણ સેવન. બજારમાં જેમ રોજ જાઓ છો અને રસપૂર્વક ધંધો કરે છો , જમવા જેમ રોજ બેસો છો અને રસપૂર્વક ભોજન કરો છો તેમ ધર્મપ્રવૃત્તિઓ રોજ જ કરતા રહો અને રસપૂર્વક કરતા રહો. રસપૂર્વકનું આ ધર્મપ્રવૃત્તિઓનું સાતત્યપૂર્ણ સેવન અંતરમાં એવી સ્થિર પરિણતિનું નિર્માણ કરી દેશે કે એ પરિણતિ ભવાંતરમાં ય સાથે આવીને આત્મહિતને અકબંધ કરતી જ રહેશે. એક વાત યાદ રાખજો કે, સત્સામગ્રી અને પ્રવૃત્તિ, એ બંને પરલોકગામી તો નથી જ, ભલે ને આપણને પ્રભુનું સ્વર્ણમંદિર ઉપલબ્ધ થઈ ગયું છે. એ મંદિરમાં બિરાજમાન પ્રભુની પ્રતિમા ભલે ને રત્નની છે અને એ પ્રભુની પૂજા આપણે ભલે ને અત્યંત કીમતી અને ઉત્તમ દ્રવ્યોથી કરી છે પણ એ સ્વર્ણમંદિર, એ રત્નમય પ્રતિમા અને એ કીમતી-ઉત્તમ દ્રવ્યોથી સંપન્ન પ્રેમના દરવાજેથી પ્રભુના પરિવારમાં સામેલ થઈ જવાનો શરૂ કરેલ પ્રયાસ જ્યારે પરિણતિ આગળ વિરામ પામે છે ત્યારે આપણે પ્રભુના પરિવારમાં તો સામેલ થઈ ચૂક્યા જ હોઈએ છીએ પણ આપણા ખુદનું પ્રભુ બનવાનું પણ આપણે લગભગ નક્કી કરી ચૂક્યા હોઈએ છીએ. આવો, ચારગતિરૂપ સંસારમાં માનવજીવન એ જ એક એવું જીવન છે કે જે જીવન પરમાત્મા” બની જવા માટે વખણાયેલું છે. સુરત ભલે ઘારી માટે વખણાયું હોય અને ઘોલવડ ભલે ચીકુ માટે વખણાયું હોય, આગ્રા ભલે તાજમહાલ માટે વખણાયું હોય અને કાશ્મીર ભલે હિમાલય માટે વખણાયું હોય પણ માનવજીવન? એ તો પ્રભુ બની જવા જ વખણાયું છે. આપણે આ જીવનમાં કદાચ પ્રભુ ન પણ બની શકીએ તો ય કમ સે કમ પ્રભુના પરિવારમાં તો સામેલ થઈ જ જઈએ ને ? ત્રણ દિવસના ચાર પ્રવચનમાં એ અંગેની અનેક વાતો મેં તમારા સમક્ષ મૂકી છે. એ વાતોને હૃદયમાં ધારણ કરીને શક્તિ અનુસાર સ્વજીવનમાં અમલી બનાવવા પ્રયત્નશીલ બનો અને ઉત્તમ એવા માનવજીવનની પ્રાપ્તિને સફળ બનાવીને જ રહો એવા મારા તમને સહુને અંતરના આશીર્વાદ છે. 84