Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 128
________________ ૧૧૬ આભામંડળ પર વધુ ભરોસો રાખ્યો આથી સમગ્ર શરીરથી જાણવાની ક્ષમતા તે ખોઈ બેઠો છે. પરંતુ કોઈ સમર્થ યોગી, સમર્થ અધ્યાત્મનો તેજપુંજ હોય છે તો તેમનાં પ્રકંપનોમાં એટલી ક્ષમતા હોય છે કે તે અનેક માણસોની સૂતેલી શક્તિને જગાડી દે છે. તેમાં માત્ર સાંભળનારાઓની ક્ષમતાનો જ સાથ નથી હોતો, પરંતુ એ સાધકના પરમાણુઓનો પણ ઘણો મોટો સાથ હોય છે, જે સંપેક્ષણ કરે છે. પ્રશ્ન ૩: સુપૃષ્ણા નાડી શું સીધી નથી હોતી? સીધી કર્યા વિના શું ધ્યાન ન થઈ શકે? ઉત્તર ૩: સુષષ્ણાનો આકાર એકદમ તો સીધો નથી. થોડોક વાંકોચૂકો છે. આપણે તેની ચિંતા ન કરીએ. આપણે માત્ર એટલું જ ધ્યાનમાં રાખીએ કે બેસતી વખતે કરોડરજજુ ટટ્ટાર હોય, પદ્માસન આ માટે સારું છે. આ આસને બેસતાં કરોડરજજુ આપોઆપ સીધી ટટ્ટાર થઈ જાય છે. આ પ્રમાણે અધ પદ્માસન, સિદ્ધાસન આદિ આસનોમાં બેસવાથી પણ કરોડરજજુ સીધી રહે છે. આપણે નમીને – વળીને ન બેસીએ. નમીને બેસવું એ સાધારણ વાત છે. જ્યારે પણ સીધા ટટ્ટાર બેસવાની વાત આવે છે ત્યારે લોકો ફરિયાદ કરે છે કે દુખાવો થઈ આવ્યો. દુખાવો થયો નહિ અને દુ:ખની ખબર પડી ગઈ. જે દુખાવો પાળી રાખ્યો હતો, જે છૂપો હતો, તેની ખબર પડી ગઈ. મનના વિકલ્પોને શાંત કરવાનો આ સરળ ઉપાય છે કે, આપણે ચેતનાને સુષુમણાના માર્ગેથી લઈ જઈએ. પ્રાણને એ માર્ગેથી ઉપર-નીચે લઈ જઈએ. ચેતના જેટલી આગળ રહેશે – ચંચળતા તેટલી વધશે. ચેતના જેટલી સુષુમણા તરફ જશે તેટલી ચંચળતા ઘટશે. ચેતનાને આગળ ને આગળ રાખવાનો અર્થ જ આ છે કે ફૂલોને સીંચવાં. ચેતનાને પાછળ જઈ જવી, સુષામાં લઈ જવી એનો અર્થ છે મૂળને સીંચવું. હવે આપણે પોતે જ વિચારીએ કે ફૂલોને સીંચવાથી ફૂલ હર્યાભર્યા બનશે કે મૂળને સીંચવાથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220