Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 207
________________ લયા: એક પ્રેરણા છે જાગરણની ૧૫ કયો મોટો અનર્થ થઈ જવાનો હતો? બાહુબલી પોતાના રાજ્યમાં હતા અને ભરત પોતાના રાજ્યમાં. પરંતુ આ બધાં સામ્રાજ્ય અહંના આધાર પર ઊભાં થાય છે. સામ્રાજ્ય યથાર્થના આધારે ઊભા નથી થતાં. અહં જ સામ્રાજ્યનું નિર્માણ કરે છે. એક માણસનો અહં એટલો વિશાળ અને વિરાટ બની જાય છે કે તે સામ્રાજ્ય બનાવવાનો પ્રયત્ન કરે છે. ભરતનો અહં એટલો પ્રબળ બની ગયો કે એ ભીતર જવા તૈયાર ન હતો. કહેવાય છે કે ભારતનું ચક્રરત્ન ભીતર જવા તૈયાર ન હતું. એને આપણે રૂપક માની લઈએ તો ભરતના અહંકારનું ચક્ર પોતાની આયુધશાળામાં જવા તૈયાર ન હતું. એ બહાર જ ઘૂમવા વિવશ હતું. પરિણામ આ આવ્યું કે બાર વરસ સુધી લડાઈ ચાલી. એ યુગનું એ પહેલું મહાયુદ્ધ હતું. યુદ્ધનો આરંભ થઈ ગયો. નાનકડી વાતે મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આ સાચું છે કે ધ્યાન કરનાર માણસોએ ક્યારેય વ્યવહારનો વિચ્છેદ નથી કર્યો. વ્યવહારનો વિચ્છેદ એ લોકોએ કર્યો કે જેમણે ધ્યાનનો કયારેય અભ્યાસ નથી કર્યો. લોકોમાં આ એક ડર છે કે ધ્યાન કરીશું તો વ્યવહાર તોડવા પડશે કે વ્યવહાર તૂટી જશે. ધ્યાન કરનાર જો કોઈ વ્યવહાર તોડશે તો એવા વ્યવહાર તોડશે કે જેની કોઈ જરૂર નથી. સચ્ચાઈ આ છે કે વ્યવહારમાં મૂંઝવણો, મુશ્કેલીઓ અને સમસ્યાઓ એ લોકોએ ઊભી કરી છે કે જેમણે અહંની સાધના કરી છે, ધ્યાનની સાધના નથી કરી. આજ સુધી મને કયારેય લાગ્યું નથી કે ધ્યાન કરનારા માણસોએ ક્યારેય વ્યવહારનો લોપ. કર્યો હોય, વ્યવહાર તોડ્યા હોય કે તેનો વિચ્છેદ કર્યો હોય. તમે આ ભ્રમણાને કાઢી નાખો. આ ડર કાઢી નાખો કે ધ્યાનમાં જઈશું તો વ્યવહારનું શું થશે? કૌટુંબિક વ્યવહારનું શું થશે? જીવનના વ્યવહારોનું શું થશે? ચેતનાના જાગરણનો પહેલો લાભ આ છે કે વ્યવહાર સુંદર અને સ્વસ્થ બને છે. તેનો બીજો લાભ આ છે કે માણસ સારું જીવન જીવી શકે છે અને સારા મોતે મરી શકે છે. જે માણસ ચેતનાને જાગ્રત નથી કરતો, જે માણસ ધ્યાનમાં નથી જતો તે ન તો સારું જીવન જીવી શકે છે, ન તો એ સારા મોતે મરી શકે છે. જે સારા મોતે મરી નથી શકતો તે સારું જીવન જીવી કેવી રીતે શકે? જે માણસને જીવન પ્રત્યે આસક્તિ હોય છે તે સારા મોતે નથી મરી શકતો અને જે માણસ મોતથી ડરે છે તે સારું જીવન જીવી નથી શકતો. સારું જીવન જીવવા માટે આ જરૂરી છે કે મોતનો ભય નાબૂદ થાય. સારું જીવન જીવવા માટે આ જરૂરી છે કે જીવન પ્રત્યેની આસક્તિ તૂટે. ધ્યાન દ્વારા, ચેતનાની જગૃતિ દ્વારા આ બન્ને બાબત બની શકે છે. જીવનની આસક્તિ અને મોતનો ભય બને નેસ્તનાબૂદ થાય છે. આપણે ચેતનાની એ ભૂમિકામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220