Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
View full book text
________________
પાંચ . ..
આપણે સૌ જ્યોતિની સાધના માટે ઉપસ્થિત છીએ. જ્યોતિ બે છે : આત્માની જ્યોતિ અને તેજની જ્યોતિ. આપણે બે જ્યોતિની વચ્ચે આપણો ઉપક્રમ કરી રહ્યા છીએ.
- એક છે આત્માની જ્યોતિ. એ સળગે છે પરંતુ તેના પ્રકાશની ખબર નથી પડતી. એ પ્રકાશ કયારેય બુઝાતો નથી. એ એક એવો દીવો છે જે સતત-અખંડ સળગતો રહે છે. તેમાં ઈંધણની કોઈ જરૂર નથી પડતી. તેમાં સહજ જ એવી શક્તિ છે જે હરહંમેશ પ્રજવલિત રહે છે.
બીજી છે તેજસ-જ્યોતિ. આ આપણા શરીરની જ્યોતિ છે. આપણું એક સૂક્ષ્મ શરીર છે. તેનું નામ છે, તેજ-શરીર, બાન-કાળમાં ક્યારેક સ્ફલિંગ સામે આવે છે, ક્યારેક ચિનગારીઓ ઊછળે છે, ક્યારેક રંગ પણ સામે આવે છે. આ રંગ ચિનગારીઓ અને સ્કુલિંગ – તમામ તેજ-શરીરમાંથી નીકળે છે અને કયારેક કયારેક તે દેખાય છે. જ્યારે આપણું મન સૂક્ષ્મ હોય છે, એકાગ્ર હોય છે ત્યારે એ એને પકડી લે છે.
જ્યોતિની સાધનામાં કેટલીક અડચણો પણ છે. આ અડચણો –અવરોધો વૃત્તિઓની છે. આપણે ઘણીબધી વૃત્તિઓ પેદા કરી મૂકી છે અને તે સમયે સમયે ઊછળી આવે છે. આપણા નાડી-તંત્રમાં તરંગો ઊઠતા રહે છે. કયારેક આ ચૈતન્ય-કેન્દ્રથી તરંગ ઊઠે છે તો ક્યારેક તે ચૈતન્ય-કેન્દ્રથી તરંગ ઊઠે છે. અનેક વૃત્તિઓ, અનેક કેન્દ્ર અને અનેક પ્રકારના તરંગો. આ તરંગો સ્નાયુઓને ઉત્તેજિત કરે છે. ઉત્તેજના અભિવ્યક્ત થાય છે. તે સાધનામાં અવરોધ બની જાય છે.
આપણે અભ્યાસ કરીએ છીએ કે તરંગ ન ઊઠે, આપણે સ્નાયુ-તંત્ર એ તરંગને સ્થાન ન આપે. તેને પોતાના ઉપર ન ઉતારે. આપણે સ્નાયુતંત્રના વિશોધનની સાધના કરીએ છીએ. સંસ્કારોની શુદ્ધિની સાધના કરીએ છીએ. સાધનામાં સૌથી મોટો અવરોધ છે ક્રોધ, ભય અને કામવાસના. આ ત્રણ મુખ્ય અવરોધો છે. કયારેક અણગમાની અનુભૂતિ થાય છે અને તરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220