Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 160
________________ ૧૪૮ આભામંડળ નિયમોને છોડીને નવા સમાજનું નિર્માણ કરવા માગે છે અને ન જાણે કેટલાય ગુણધર્મોનો વિકાસ કરવા ઈચ્છે છે, જ્યારે બીજી બાજુ કામ-વાસનાની પૂર્તિ ને તૃપ્તિ માટે પશુના ગુણધર્મોનો ઉપયોગ કરીને મુક્ત ભોગેચ્છાને સમર્થન કરવા ચાહે છે. આ તે કેવો વિરોધાભાસ?! ક્રોધ સ્વાભાવિક છે. ભય સ્વાભાવિક છે. કામ-વાસના સ્વાભાવિક છે. આ બધું શીખવું નથી પડતું. સ્વાભાવિકનો અર્થ જ આ છે કે જેને શીખવું પડે. જે જન્મની સાથોસાથે જ આવે છે તે હોય છે, સ્વાભાવિક. કોધ શીખવો નથી પડતો, ક્ષમા શીખવી પડે છે. ભય શીખવો નથી પડતો, અભય શીખવો પડે છે. અબ્રહ્મચર્ય શીખવું નથી પડતું, બ્રહ્મચર્ય શીખવું પડે છે. આમ કેટલુંક નૈસર્ગિક છે, કેટલુંક સાધનાલબ્ધ. નૈસર્ગિકને જ બધું માની લેવાથી સમાજ નથી બનતો. માણસે આ બધી નૈસર્ગિક બાબતોને ઉદાત્ત કરી છે. તેનું માર્ગોત્તરીકરણ કરીને માણસે અનેક વિશેષતાઓ અજિત કરી છે. માણસની બધી ઊર્જા પ્રાકૃતિક નિયમોને પૂર્ણ કરવામાં જ વહેતી હોત તો આજ માણસ આટલો જ્ઞાની ન હોત, તો એ આટલો કલા-નિપુણ ન હોત. તે ન સત્યોને શોધી શકયો હોત, ન તે સૂક્ષમ રહસ્યોને પામી શક્યો હોત. માણસે જે મહાનતાઓ, વિશેષતાઓ ઉપલબ્ધ કરી છે તે તેણે પોતાની ઊર્જાનું દિશાન્તરણ કરીને જ કરી છે. એક માણસ સત્યની શોધમાં લાગ્યો, ધર્મની સાધનામાં લાગ્યો અને સમગ્ર જીવન તેમાં ખર્ચી નાખ્યું. તેની ઊર્જા સત્યની શોધમાં લાગી અને તેણે સમગ્ર જગતને નવાં નવાં સત્યોથી ભરી દીધું. સમગ્ર સંસાર, આખી દુનિયા તેની ત્રણી બની. જ્યારે જ્યારે પણ માણસે મોટું કામ કર્યું છે ત્યારે ત્યારે તેણે પોતાના અનુરાગના પ્રવાહને દિશાન્તરિત કરીને જ કર્યું છે. વાચસ્પતિ મિએ એક મહત્ત્વપૂર્ણ ગ્રન્થ લખવાનો શરૂ કર્યો. એ પરણેલા હતા. હજી હમણાં હમણાં લગ્ન થયાં હતાં. રાતદિવસ એ ગ્રન્થના લેખનમાં લાગી ગયા. તમામ અનુરાગ ગ્રન્થલેખનમાં લાગી ગયો. બાર વરસ વહી ગયાં. રોજેરોજ નવોઢા આવતી અને બુઝાતા દીપકમાં તેલ પૂરીને ચાલી જતી. તેનો આ ક્રમ રોજ ચાલતો. ગ્રન્થ પૂરો થવાની અણી પર હતો. રાતનો સમય, વાચસ્પતિ લખી રહ્યા હતા. પત્ની આવી. દીપમાં તેલ પૂરીને એ જવા લાગી. વાચસ્પતિએ માથું ઊંચું કરીને પૂછ્યું: “અરે! તું કોણ છે? અહીં કેમ આવી છે?” તેણે કહ્યું : “હું તમારી પત્ની ભામતી છું.” આ સાંભળતાં જ વાચસ્પતિને લગ્નની યાદ આવી ગઈ. બાર વરસના લગ્ન-સંસ્કાર સાકાર થઈ ઊઠયા. તેમણે કહ્યું: 'માફ કરજે. હું ભૂલી જ ગયો હતો. મને ભાન જ ન રહ્યું કે મે લગ્ન કર્યા છે. છેવટે તેમણે પોતાની પત્નીની સ્મૃતિમાં એ ગ્રન્થનું નામ રાખ્યું: “ભામતી'. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220