Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 162
________________ ૧૫૦ આભામંડળ માત્ર સમાજવ્યવસ્થાની દૃષ્ટિએથી જ નહીં પરંતુ વ્યક્તિત્વના વિકાસની દૃષ્ટિએ પણ આપણે ત્રીજો માર્ગ ખોળી કાઢવો જોઈએ. ન દમનનો માર્ગ સારો છે, ન મુક્તભોગનો માર્ગ સારો છે. સારો માર્ગ છે રૂપાન્તરણનો. સારો માર્ગ છે ઉદાત્તીકરણનો, વિશુદ્ધિનો. પ્રશ્ન છે કામના રૂપાન્તરણનાં સૂત્ર કયાં કયાં છે? તેમાં ઉદાત્તીકરણ અને શુદ્ધિનાં સૂત્ર કર્યાં છે? નિત્શેએ કહ્યું – “બધા જ ધર્મોએ સેકસને ઝેર પાઈને મારી નાખવાની ઇચ્છા રાખી, પરંતુ તે મરી નહીં, એટલું જરૂર થયું કે તે વિષાક્ત બનીને, ઝેરીલી બનીને જીવીત થઈ ગઈ.' આ જ કામ વિષાક્ત બનીને જીવે છે. તે ઝેરીલી નાગણ બનીને ડંખે છે. આ ઘણી મોટી સચ્ચાઈ છે. જ્યાં દમન થાય છે ત્યાં કામ મરતો નથી, વિષાક્ત થઈ જાય છે. માણસ કામને ઘણો મોટો અનર્થ માને છે. તેની વાત કરવામાં શરમ અનુભવે છે. એટલો અસ્વાભાવિક ડર, એટલો કાલ્પનિક ભય કે ભીતર કામની આગ ભડકે બળે છે અને બહારથી એટલું પાણી છાંટવાનો પ્રયાસ થાય છે. દેખાડો થાય છે કે ભીતર કશું બળતું જ નથી. આ બેવડા વ્યક્તિત્વે, કાલ્પનિક ભયે અનેક પ્રશ્નો ઊભા કર્યા અને નિત્શે જેવા પ્રબુદ્ધ માણસને આ વાતો ધર્મના સંદર્ભમાં લખવી પડી. તેમાં સચ્ચાઈ છે. તેને નકારી નહીં શકાય. આપણી ધારણા છે કે આંખ જુએ છે. તેમાં વિકાર પણ આવે છે. તો શું આંખને ફોડી નાખવી જોઈએ? કેટલી આંખો ફોડીશું? તો શું દુનિયા આખી આંધળી નહીં બની જાય? તો નવી સમસ્યાઓ પેદા થશે. કામ સ્વાભાવિક છે. સાધનાની શરૂઆતમાં જ જે કોઈ એમ બતાવે કે એ કામથી પાર પહોંચી ગયો છે, નિષ્કામ બની ગયો છે, વીતરાગ બની ગયો છે તો એ એક બનાવટ છે, છલના છે. એ એક ઘણી મોટી પ્રવંચના છે. ખુદ પોતા સાથે છેતરપિંડી, બીજા સાથે પણ છેતરપિંડી. આપણે આ માનીને ચાલીએ કે જે માણસ સાધના શરૂ કરે છે, દિશાન્તરણનો પ્રયત્ન શરૂ કરે છે તે એક જ દિવસમાં સિદ્ધ નથી થઈ જતો. પ્રયત્નનો સ્વીકાર કરો. માર્ગાતરણનો સ્વીકાર કરો. અભ્યાસનો સ્વીકાર કરો. સાધનાનો સ્વીકાર કરો. પરંતુ સિદ્ધિનું પ્રદર્શન ન કરો. સિદ્ધ થવાનું પ્રદર્શન ન કરો. માણસમાં સ્વાભાવિક વૃત્તિઓ જાગે છે. સાધકમાં પણ જાગે છે અને સામાન્ય માણસમાં પણ જાગે છે. સાધક એ છે કે જે વૃત્તિઓના માર્ગાન્તરણ ની દિશામાં પ્રયાણ કરી ચૂકયો છે. બીજું કંઈ અંતર નથી પડતું. જે આ દિશામાં યાત્રા નથી શરૂ કરતો તે સાધક નથી હોતો. ભલે પછી તે ગૃહસ્થ હોય કે સંન્યાસી. જે આ દિશામાં પ્રારંભ કરે છે તે સાધક હોય છે. ભલે પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220