Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 191
________________ લેશ્યા: એક વિધિ રસાયણ-પરિવર્તનની ૧૭૯ આપણા શરીરમાં અનેક પ્રકારનાં તત્ત્વ ઉત્પન્ન થાય છે. કોશો પોતાના માટે વિટામિન, પ્રોટીન ઉત્પન્ન કરે છે. આપણી ચામડીની ભીતર થોડો પણ તાપ– ગરમી ઉત્પન્ન થાય છે ત્યારે વિટામિન સી ઉત્પન્ન થાય છે અને અનેક પ્રકારનાં રસાયણો પેદા થાય છે. ભોજનથી પણ અનેક પ્રકારનાં રસાયણ ઉત્પન્ન થાય છે અને આપણી વૃત્તિઓ પર તે અસર પાડે છે– કરે છે. ફરી પૂછવામાં આવ્યું: “હે ભગવન્આથી વિશેષ શું કરવું જોઈએ? ભગવાને કહ્યું: ‘એવી સ્થિતિ આવે કે વાસના શાંત ન થતી હોય તો આહારનો ત્યાગ કરો. ખાવાનું છોડી દો.” ખાવાનું બંધ થઈ જાય છે, લાંબા દિવસો સુધી ઉપવાસ કરવામાં આવે છે, દસ-વીસ દિવસની તપસ્યા કરવામાં આવે છે ત્યારે ઇન્દ્રિયો આપોઆપ શાંત થઈ જાય છે, કામવાસના દૂર થઈ જાય છે. ઇન્દ્રિયોનાં રસાયણોને ભોજન નથી મળતું તો તે શાંત થઈ જાય છે. માણસને ખાવાનું નથી મળતું તો એ પણ શાંત થઈ જાય છે. ભૂખ્યો માણસ સહજ શાંત બની જાય છે. ઈન્દ્રિયો શાંત, મન શાંત, શરીર શાંત અને બધું જ શાંત. રસાયણોનું પરિવર્તન થાય છે. જૂનાં રસાયણ બદલાઈ જાય છે અને નવાં રસાયણ ઉત્પન્ન થાય છે, તો ઉત્તેજના પેદા નથી કરતાં. તપોયોગ રસાયણ-પરિવર્તનનો યોગ છે. ઉપવાસ દ્વારા એવાં રસાયણો ઉત્પન્ન થાય છે જેનાથી શારીરિક રોગો શાંત થઈ જાય છે. ઉપવાસ પોતે એક સારવાર – ચિકિત્સાપદ્ધતિ છે. પ્રાચીનકાળમાં ઉપવાસનો પ્રયોગ ચિકિત્સાના રૂપમાં કરતો હતો. આજે આ ચિકિત્સાત્મક દૃષ્ટિકોણથી લોકો અલ્પ જ્ઞાત છે. પશ્ચિમના લોકોએ આના પર ઘણું સંશોધન કર્યું. પ્રયોગ કર્યા અને ઉપવાસની ચિકિત્સા પદ્ધતિનું વિધિવત વિધાન કર્યું. આજે ઉપવાસની ચિકિત્સા પ્રચલિત છે. ઉપવાસના વિધિસર પ્રયોગોથી અનેક રોગ મટાડી શકાય છે. કારણ એક જ છે તેનું કે ઉપવાસ દ્વારા રાસાયણિક પરિવર્તન થાય છે અને રોગ શાંત થઈ જાય છે. કેટલાકને પક્ષાઘાત થયો હતો. તેમણે આઠ દિવસના નિર્જળા – ચોવિહાર ઉપવાસ કર્યા અને તે સાજા થઈ ગયા. આર્યબિલથી અનેક રોગ મટે છે. આમ બીજા પણ અનેક પ્રકારના પ્રયોગો છે – આયંબિલ, એકાંતર ઉપવાસ, પાંચ દિવસના ઉપવાસ, આઠ દિવસના ઉપવાસ, ઓછું ખાવાનો પ્રયોગ, ઓછી વસ્તુઓ ખાવી, ઓછા ટંક ખાવું – આ બધા પ્રયોગ શારીરિક રસાયણોમાં પરિવર્તન લાવે છે. અમે દિલ્હીમાં હતા. સૌરાષ્ટ્રનો એક માણસ આવ્યો. એ લુખ્ખા ભાત ખાતો હતો. સો ગ્રામ ભાત ખાઈને પાંચ-સાત લોટા પાણી પી લેતો. તેણે કહ્યું: “આ પ્રયોગ દ્વારા મેં કેન્સર જેવા અસાધ્ય રોગો પણ મટાડ્યા છે.” આ બધું જોતાં આ સ્પષ્ટ છે કે ઉપવાસ, તપસ્યા, સંયમ અને આસનો દ્વારા પરિવર્તન થાય છે. પ્રાયશ્ચિત્ત દ્વારા પણ રસાયણોમાં પરિવર્તન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220