Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 204
________________ ૧૯૨ આભામંડળ એટલે મનમાં કોઈ સંકલ્પ-વિકલ્પ ન થવા દેવા. ચૈતન્યની અનુભૂતિ સતત થતી રહે– આ છે વિચારશૂન્યતા, વિકલ્પશૂન્યતા. આ ભૂમિકાએ પહોંચતાં ચૈતન્યનું જાગરણ થશે, ચેતના જાગ્રત થશે. ત્યારે પ્રશ્ન થશે કે આપણે આ કર્મ-તંત્રની પાર ચાલી જઈએ છીએ, આપણે આ બાહ્ય વ્યક્તિત્વથી પર અને પાર બની જઈએ છીએ ત્યારે આપણા જીવનની યાત્રા કેવી રીતે ચાલશે? જીવનવ્યવહાર કેમ ચાલશે? જીવનના વ્યવહારમાં આપણે કેવી રીતે સફળ થઈશું? ભૂખનો પ્રશ્નન, પારસ્પરિક સહયોગનો પ્રશ્નન, ભોજનનો પ્રશ્ન કપડાંનો પ્રશ્ન – આ બધા પ્રશ્ન નગ્ન સત્ય બની આપણી સમક્ષ આવે છે, અને આપણે ભાવ-તંત્રની શુદ્ધિ કરવા બેસી જઈએ તો અને ત્યારે શું જીવનમાં મુશ્કેલીઓ નહિ આવે? આ ધ્યાન શું આપણને અવ્યાવહારિક નહિ બનાવી દે? જીવનની બધી સમસ્યાઓ શું આપણી સામે તાંડવ નહિ કરે?— આ પ્રશ્નો સ્વાભાવિક છે અને દરેક માણસના મન-મગજમાં ઊઠે છે. આપણે જ્યારે વિચારની ભૂમિકામાં જીવીએ છીએ અને વિચારની પારની વાત વિચારીએ છીએ ત્યારે જરૂર આ પ્રશ્ન – વિચાર સતાવે છે. પ્રશ્નનું કામ છે સતાવવાનું. નિર્વિચારતામાં આપણે ચાલી જઈએ છીએ ત્યારે આ બધા પ્રશ્ન નથી સતાવતા. ભાવ-તંત્રમાં જે ચાલ્યો જાય છે તેના મનમાં આ પ્રશ્નો નથી સતાવતા પરંતુ જ્યારે માણસ ભાવ-તંત્ર તરફ ચાલવાનું વિચારે છે ત્યારે જ આ પ્રશ્નો સતાવે છે. કારણ આ વિચારવું પણ વિચારનું કામ છે અને સતામણ પણ વિચારનું કામ છે. વિચાર વિચારથી જરૂર ટકરાશે, વિચાર વિચારમાં બેશક સંઘર્ષ થશે. આ પ્રશ્નનું સમાધાન હું મારી ભાષામાં આપું તો તમને કેવું લાગશે! કારણ મારી અભિવ્યક્તિની ભૂમિકા અને તમારી સમજવાની ભૂમિકામાં અંતર છે. જે વાત ધ્યાનની ભૂમિકા પર સમજવી જોઈએ, એ વાત તર્કની અને વિચારની ભૂમિકા પર સમજવા જઈશું તો મુશ્કેલ બનશે સમજવું. હું આ મુશ્કેલી અનુભવી રહ્યો છું. હું સમજાવીશ તોપણ આ વાત સમજવામાં નહિ આવે. એક કુશળ વક્તા ભાષણ કરવા ઊભો થયો. એ બોલ્યો: “હું જે કહેવા માગું છું કે જો તમે જાણતા હો તો મારે એ કહેવાની જરૂર નથી. અને તમે એ જાણતા જ ન હો તો મારે એ કહેવાની જરૂર શી છે?” આટલું કહીને એ બેસી ગયો. લાગે છે કે હું પણ બોલવાનું બંધ કરે, બેસી જાઉં. તમે જો આ વાતને સમજો છો તો તમારે એ સમજવાની જરૂર નથી અને નથી સમજતા તો મારે એ સમજાવવાની જરૂર શી છે? પરંતુ વ્યવહારનો પ્રશ્ન સામે આવે છે. વ્યવહાર આ જ કહેશે કે સમજવામાં નથી આવતું તોપણ સમજાવવામાં આવે. વ્યવહાર વ્યવહારની ભૂમિકા પર ચાલે છે, એ નિશ્ચયની ભૂમિકાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220