Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
View full book text
________________
૧૮૪ આભામંડળ
માણસનું આચરણ કેવું છે. પ્રશ્ન થઈ શકે કે પરસેવા અને આચરણનો શો સંબંધ? જે માણસ ક્રોધી છે, ઈર્ષાળુ છે, ઝઘડાળુ છે, દૂષિત મનોભાવવાળા છે, તેમના પરસેવામાં એક પ્રકારની દુર્ગધ જણાશે. જે માણસ સરળ છે, નિર્દભ છે, પવિત્ર મનોભાવવાળો છે તેના પરસેવામાં બીજા પ્રકારની દુર્ગંધ જણાશે. જૈન પરંપરામાં આ માન્યતા છે કે તીર્થકરને શરીરમાંથી કમળના ફૂલ જેવી સુગંધ આવે છે. આ ગંધ શુભ ભાવોનું પ્રતીક છે. જે માણસના ભાવ નિછળ, પવિત્ર અને સરળ હોય છે તેના શરીરમાંથી પણ નિર્મળતા નીતરશે, સુગંધ આવશે.
તેજ-લેશ્યા, પા-લેશ્યા અને શુકલ-લેશ્યાનાં રંગ, રસ, ગંધ અને સ્પર્શ પ્રશસ્ત હોય છે. તેજો-લેશ્યાનો રંગ નવોદિત સૂર્યના જેવો લાલ હોય છે. પઘ-લેશ્યાનો રંગ ચંપાના ફૂલ જેવો પીળો હોય છે. શુકલ-લેશ્યાનો રંગ શંખના જેવો સફેદ હોય છે. આ ત્રણેય લેશ્યાઓની ગંધ સુગંધિત ફૂલોની ગંધથી અનંતગણી સુગંધી, ખજૂર અને દ્રાક્ષની મીઠાશથી અનેકગણી મીઠી – મીઠા રસવાળી અને એ ત્રણેયનો સ્પર્શ નવનીત તથા શિરીષનાં પુષ્પોથી અનંતગણો મુલાયમ હોય છે.
રસોના પરિવર્તનની દિશામાં વૈજ્ઞાનિક વિશ્વમાં અનેક સંશોધનો ચાલુ છે. વિજ્ઞાનીઓ એક એવા રાસાયણિક પદાર્થની શોધમાં છે કે જેનાથી માણસનો ક્રોધ ખલાસ થઈ જાય અને ક્ષમા આપોઆપ પ્રગટે. પછી ક્ષમા પ્રગટ કરનારાં ઇંજેક્ષન, ગોળીઓ વગેરે બજારમાં આવશે.
આજ કામવાસનાની (સેકસ) ઘણી મોટી સમસ્યા છે. પરંતુ વિજ્ઞાનીઓ ચિંતિત નથી. તેઓ આ દિશામાં પ્રયોગો કરી રહ્યા છે. તેઓ એવાં રસાયણોના નિર્માણમાં લાગ્યા છે કે રસાયણોના સેવનથી કામની ગ્રન્થિઓ જ ખત્મ થઈ જાય સેકસ-ગ્રન્થિઓ જ પ્રભાવહીન થઈ જાય. એવી સ્થિતિમાં ન ભોજન ઓછું કરવાની જરૂર છે, ન ઊણોદરી કરવાની જરૂર છે, ન ધ્યાન-આસન કરવાની જરૂર છે, ન ચૈતન્ય-કેન્દ્રોને જાગ્રત અને સક્રિય કરવાની જરૂર છે. એ રાસાયણિક ગોળીઓથી કામવાસના સમાપ્ત થઈ જશે. આ પ્રકારે ક્રોધ, માન, માયા, લોભ અને તમામ ઉત્તેજનાઓને ઓછી કરી શકાશે. એમ લાગે છે કે જેમ જેમ આ શોધો આગળ વધતી જશે તેમ તેમ અધ્યાત્મ અને ધ્યાનની જરૂર આપોઆપ ઓછી થતી જશે. બધું કામ વિજ્ઞાનીઓના હાથમાં આવી જશે. પછી લોકો અધ્યાત્મ-શિબિરોમાં નહિ આવે, વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં જશે.
સારી વાત છે. દિશા કંઈ ખોટી નથી. આ સચ્ચાઈનો આપણે અસ્વીકાર નહિ કરીએ કે આ બધા રસાયણ-પરિવર્તનના પ્રયોગ છે. અધ્યાત્મસાધક ઉપવાસ અને ધ્યાન દ્વારા, સ્વાધ્યાય દ્વારા રસાયણોનું પરિવર્તન કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220