Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 168
________________ ૧૫૬ આભામંડળ છે, જ્યારે બીજી બાજુ અંતરાય કર્મના પરમાણુઓનાં સ્પંદન એટલા સક્રિય છે કે તેમાં તે અવરોધ ઊભો કરે છે. આપણું એક કામ આ બનશે કે આત્મશક્તિનાં જે સ્પંદન બહાર પ્રકટ થવા ચાહે છે, તેમાં અવરોધ નાખનાર કર્મ પરમાણુઓનાં સ્પંદનને દૂર કરીએ. રસ્તો સાફ કરીએ અને આત્મ-શક્તિને બહાર આવવા દઈએ. બીજું કામ આ રહેશે કે તેજશક્તિને વિકસિત કરીએ. આપણને તેજશરીર મળ્યું છે. આ સૂક્ષ્મ શરીર છે. વિદ્યુતનું શરીર છે એ. તેજના પરમાણુઓનું એ શરીર છે. એ આપણને સહજ ઉપલબ્ધ છે. આપણે તેની શક્તિને સક્રિય બનાવીએ. તેને સક્રિય બનાવવા માટે બહારના તેજ-પરમાણુઓને લેવા ખૂબ જ જરૂરી છે. તેના પરમાણુઓ જેટલા પ્રમાણમાં વધુ મળશે તેટલા પ્રમાણમાં તેજ-શરીર શક્તિશાળી બનશે અને તેની ક્ષમતા વધશે. એની પ્રક્રિયા પણ આપણે જાણવાની છે. તેજસ શક્તિને કેવી રીતે વધારી શકાય અને કેવી રીતે બહારથી તેજસુ-પરમાણુઓને ભીતર લઈ જવાય આ બધું પ્રક્રિયા પર નિર્ભર છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઊર્ધ્વ અને અધો – આ છયે દિશાઓથી તેજસના પરમાણુ ભીતર લઈ જઈ શકાય છે. એ પરમાણુઓને ગ્રહણ કરવાની અને ભીતર લઈ જવાની એક શક્તિ જોઈએ. શક્તિ વિના એવું નથી થઈ શકતું. આ શક્તિ પર આપણે વિચાર કરવાનો છે. માત્ર શારીરિક શક્તિ જ શક્તિ નથી. મનની પણ શક્તિ છે અને વચનની પણ શક્તિ છે. શરીરની શક્તિ એટલે કાય-બળ, વચનની શક્તિ એટલે વચન-બળ અને મનની શક્તિ એટલે મનોબળ – આ ત્રણેય શક્તિઓ જરૂરી છે. શરીરની શક્તિ પણ જોઈએ, વચનની શક્તિ પણ જોઈએ અને મનની શક્તિ પણ જોઈએ. શક્તિ ત્રણ નથી. એ બધી શક્તિની શાખાઓ છે. શક્તિ એક સામાન્ય છે જેની પાછળ કશું જોડાતું નથી. શકિત માત્ર શક્તિ છે. એ તો શક્તિના અલગ અલગ પ્રયોગ છે. શાખાઓને આપણે મૂળથી અલગ નહિ માનીએ. એક વૃક્ષની સો શાખાઓ છે. શાખા વૃક્ષ નથી. શાખા શાખા હોય છે. વૃક્ષ વૃક્ષ હોય છે. વૃક્ષા અને શાખાને એક નહિ માની શકાય. શાખાને કોઈ નામ નથી આપી શકાતું અને જો નામ કોઈ આપવામાં આવે છે તો આ ભ્રમને પણ તોડવો પડશે કે એ માત્ર શાખા છે, મૂળ નથી. મનોબળ પણ મૂળ શક્તિ નથી. વચન-બળ પણ મૂળ શક્તિ નથી અને કાય-બળ પણ મૂળ શક્તિ નથી. આ બધી પ્રાણ-શક્તિ, તેજ-શક્તિની શાખાઓ છે. મનોવિજ્ઞાન ક્ષેત્રે એક ભ્રમણા પેદા થઈ. આ ભ્રમણા મનોવિજ્ઞાનીઓ દ્વારા નહિ થઈ હોય પરંતુ મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓએ મનોવિજ્ઞાનની ચર્ચા કરતાં આ ભ્રમણા ઊભી કરી. તેમણે માની લીધું કે શક્તિ એક છે અને તે છે કામ-શક્તિ. બધું જ કામ-શક્તિ છે અને શેષ તેનો વિકાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220