Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 185
________________ લેશ્યા: એક વિધિ સારવારની ૧૭૩ બને છે તેને તોડવો મુશ્કેલ છે. કોઈ સમજદાર માણસ પોતાને ભાવ સુધી પહોંચાડી દે તો તે સફળ થઈ જાય છે. આ એક મહત્ત્વપૂર્ણ ચિકિત્સા પદ્ધતિ છે. થોડાક પ્રસંગો કહું. એક માણસ બીમાર પડ્યો. ખૂબ જ ડરી ગયો હતો. વૈદ આવ્યા. રોગીને જોયો. તેની ગભરામણ જોઈ. વૈદે કહ્યું: “ગભરાશો નહીં. સાંજ સુધીમાં તો તમે ઘણા સારા થઈ જશો. હરીફરી શકશો. તમારી ગભરામણ દૂર થઈ જશે. હું એવી દવા આપું છું કે જેથી તમારો રોગ બિલકુલ ચાલ્યો જશે. વૈદ બહાર ગયા અને રાખ અને મીઠાનાં પડીકાં બાંધ્યાં. પડીકાં આપતાં કહ્યું: ‘જુઓ, આ ઘણી જ મોંઘી દવા તમને આપું છું. બે પડીકાં લેતાં જ તમારી બીમારી ગાયબ થઈ જશે. વૈદે રોગીને એટલી શ્રદ્ધા બેસાડી કે સાજા થવાની વાત ભાવ સુધી પહોંચી ગઈ. રોગીએ પડીકાં ખાધાં. બીજું પડીકું ખાધા બાદ તેને આરામ થવા લાગ્યો અને સાંજ પડે તે પહેલાં જ તે વૈદના ઘરે ચાલતો ગયો. ન રોગ, ન ગભરામણ. આ કંઈ પડીકાનો કોઈ ચમત્કાર ન હતો. ચમત્કાર હતો તો વાત ભાવ સુધી પહોંચી ગઈ. આચાર્ય ભિક્ષુના જીવનની વાત છે. ત્યારે એ મુનિ નહોતા બન્યા. એ સમયે ક્યારેક તે ઊંટ પર કયાંક જઈ રહ્યા હતા. સાથે એક માણસ હતો. તેને છીંકણી સુંઘવાની ટેવ હતી. પાસે હતી તે છીંકણી ખલાસ થઈ ગઈ. છીંકણી વિના તેનું શરીર તૂટવા લાગ્યું. અશક્તિ અનુભવી રહ્યો છે અને રસ્તામાં જ બેસી પડ્યો. ભિક્ષુએ પૂછયું : “શું થયું? આમ ઢગલો થઈને કેમ બેસી પડ્યો?” પેલાએ કહ્યું: ‘ભીખાજી! હવે હું આગળ એક ડગલું પણ ભરી શકું એમ નથી. છીંકણી ખલાસ થઈ ગઈ છે. તેનો નશો ઊતરી ગયો છે અને છીંકણી ન સૂવું ત્યાં સુધી મારાથી ચાલી નહિ શકાય. ભિક્ષુએ કહ્યું: ચિંતા ન કશે. આજુબાજુમાંથી કોઈની પાસેથી છીંકણી મળે તો લઈ આવું છું.' એ ગયા. જંગલમાં કોણ એવું મળે? તેમણે એક સૂકું પાદડું લીધું. તેનું બારીક ચૂર્ણ કર્યું. પડીકું બાંધીને લઈ આવ્યા. આવીને કહ્યું: “લો ભઈ! તમે નસીબદાર છો. આ જંગલમાં પણ છીંકણી સુંઘનારું મળી ગયું. તેની પાસેથી આ છીંકણી લઈ આવ્યો છું. જોકે બહુ સારી નથી. પણ ચાલી જશે.” પેલા સાથી માણસે પડીકું ખોલ્યું. ચપટી લઈ સુંધી. એકાદ મિનિટ પછી કહ્યું: “હવે ચલો, નશો આવી ગયો. હવે આરામથી પહોંચી જઈશું.” આ શું છે? માત્ર સૂકા પાંદડાનું ચૂર્ણ છીંકણી બની ગયું. શબ્દમાં ભાવને બદલવાની એટલી મોટી શક્તિ છે કે એક માણસનો શબ્દ બીજા માણસના ભાવ સુધી પહોંચી જાય તો સારી પરિસ્થિતિ બદલાઈ જાય છે. એક પ્રસંગ યાદ આવે છે. વહુને ખૂબ જ ગુસ્સો આવતો હતો. ઘરનાં બધાં જ હેરાન હતાં. એક વખત સાસુ વહુને લઈને એક માણસ પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220