Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 184
________________ ૧૭૨ આભામંડળ રંગોનું ધ્યાન ઘણું મહત્ત્વનું છે. જે માણસ સફેદ રંગમાં અહમ્નું ધ્યાન ધરું છે તે અનેક પ્રકારના રોગોથી મુક્ત થઈ જાય છે. તેના શરીરમાં સંચિત ઝેર ખલાસ થઈ જાય છે. જે માણસ અરુણ રંગ [બાળ સૂર્ય જેવો લાલ રંગ]નું ધ્યાન કરે છે તેનામાં તેજો-લેશ્યાનાં સ્પંદન જાગે છે અને તેના મનની દુર્બળતા દૂર થઈ જાય છે. મનની બધી મુશ્કેલીઓ ઊકલી જાય છે. માણસ મનની મુશ્કેલીઓથી આક્રાન્ત છે. એ તેને જાણે છે. મનથી કંઈ પણ પ્રતિકૂળ થાય તો મન તૂટી જાય છે, ખખડી જાય છે અને ઉધમાત મચાવે છે. કોઈ અપ્રિય ઘટના બને છે, મન ભાંગી પડે છે. કોઈ પ્રિય વ્યક્તિ ચાલી જાય છે તો માણસ આપઘાત કરવા તૈયાર થઈ જાય છે. માણસનું મન એટલું મુલાયમ અને નાજુક છે કે એ થોડી પણ પ્રતિકૂળ પરિસ્થિતિ સહન નથી કરી શકતું. એવા સંજોગોમાં એ ભાંગી પડે છે. મનની આ દુર્બળતાને લેશ્યા-ધ્યાન દ્વારા મટાડી શકાય છે. એના દ્વારા મનને એટલું પ્રબળ બનાવી શકાય છે કે કોઈ પણ ઘટના બને, કેવી પણ બને તો ત્યારે મનને ભાંગી પડતું બચાવી શકાય છે. ઘટનાને ~ બનાવને — રોકી નથી શકાતી, મનને ભાંગી પડતું — તૂટી પડતું બચાવી શકાય છે. - અહંના ધ્યાન દ્વારા ભાવોનું પણ અદ્ભુત ઢંગથી પરિવર્તન થાય છે. આપણે જ્યારે ગરમ રંગો[પીળો, લાલ, સફેદોનું ધ્યાન ધરીએ છીએ અને તેમાં તન્મય, તદ્રુપ ને તદાકાર બનીએ છીએ ત્યારે આપણા ભાવ બદલાઈ જાય છે. વિચારવા અને સમજવાની જરૂર નથી કે આમ કેમ બને છે. એ આપોઆપ સહજ બદલાઈ જાય છે. તમામ સ્પંદનો બદલાઈ જાય છે. આ ગરમ રંગોનાં સ્પંદનથી વિચારોનાં, વિકલ્પોનાં અને મોહનાં સ્પંદનો રોકાઈ જાય છે. નિર્વીર્ય બની જાય છે અને સાથોસાથ કષાય-વિલય અને મૂર્છા-વિલયનાં જે સ્પંદનો હોય છે, તેને શક્તિ મળે છે અને તે સક્રિય બની જાય છે. લાલ રંગ કે ટૉનિક રંગ ટૉનિકનું કામ કરે છે. આ મહત્ત્વપૂર્ણ રસાયણ છે. તેનાથી પૂરી સક્રિયતા પેદા થાય છે અને રોમેરોમમાં ગરમી આવી જાય છે. રંગોનું ધ્યાન એ એક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે. આ ધ્યાનથી તન અને મનની નિર્બળતા દૂર થાય છે. સ્મૃતિ અને બુદ્ધિનો વિકાસ થાય છે. જ્ઞાનતંતુઓ શક્તિશાળી બને છે. આ બધા માટે અલગ અલગ પ્રયોગો છે. ભાવોને બદલવાનું બીજું શક્તિશાળી માધ્યમ છે, શબ્દ. મંત્રોની પદ્ધતિ તેની સાક્ષી છે. મંત્રો દ્વારા ભાવોને બદલી શકાય છે. આ મૂલ્યવાન સાધન છે. તન અને મન સાથે મંત્રનો ઘણો મોટો સંબંધ છે. તંત્ર અને મંત્ર બંને સાથોસાથ ચાલે છે. તંત્રશાસ્ત્રમાં પણ ઘણા બધા મંત્રો છે. મંત્રનો પ્રયોગ શબ્દનો પ્રયોગ છે. તેનાથી ભાવ બદલાય છે. માણસના મનમાં જે ભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220