Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 188
________________ ૧૭૮ આભામંડળ આ સૂત્રો આપણી આંતરિક ભાવનાને જાગ્રત કરનારાં સૂત્રો છે. હું શ્રીસંપન્ન બનું. લશ્યાના સિદ્ધાંતમાં ગરીબાઈનું, દરિદ્રતાનું, કોઈ સ્થાન નથી. જેની લેગ્યાઓ પવિત્ર હોય છે તે મહાન ઋદ્ધિવાળો હોય છે, મહાન વૈભવવાળો હોય છે. જેમ સામાન્ય માણસ પોતાની શ્રીવૃદ્ધિ કરવા ચાહે છે તેમ જ શુદ્ધ વેશ્યાવાળો અધ્યાત્મનો સાધક પોતાના આભામંડળને શક્તિશાળી બનાવવા ચાહે છે. શ્રી એટલે લક્ષ્મી. શ્રી એટલે આભા. લક્ષ્મીનું સંવર્ધન અને આભાનું સંવર્ધન. હી એટલે લજ્જા. હૃી એટલે અનુશાસન. સામાજિક પ્રાણી માટે લજ્જા પણ જરૂરી છે અને અનુશાસન પણ. ભાવોને બદલવા માટે, વેશ્યાઓને શુદ્ધ કરવા માટે આપણી સમક્ષ બે પ્રયોગ છે. એક છે રંગોનું ધ્યાન, બીજો છે મંત્રોનો પ્રયોગ. મંગળ ભાવનાનો પ્રયોગ અને ભાવ-તંત્રને સક્રિય કરનાર, પવિત્ર બનાવનાર શબ્દોનો પ્રયોગ. આપણે આ બંને પ્રયોગો દ્વારા ભાવ-તંત્રને ગંગાજળ જેવું નિર્મળ બનાવીએ, ગંગોત્રી જેવું નિર્મળ બનાવીએ અને તન, મન અને આત્માની સારવાર– ચિકિત્સા કરીએ. આપણે શરીરના દોષ અને અપાય, મનના દોષ અને અપાય અને અધ્યાત્મના દોષ અર્થાત્ મૃચ્છના દોષ અને અપાય – આ બધા અપાયોને ખત્મ કરીએ અને ઉપાયોનો પ્રયોગ કરીએ. આમ બનતાં વેશ્યાનો સિદ્ધાંત માત્ર તાત્ત્વિક સિદ્ધાંત ન બનતાં એ આપણા માટે ચિકિત્સાની પૂરી પદ્ધતિ બની રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220