Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 180
________________ ૧૬૮ આભામંડળ ચિકિત્સાપદ્ધતિની શોધ કરી. શરીરનો રોગ એક અપાય છે. તેની સારવાર- પદ્ધતિ ઉપાય છે. મનની બીમારી અપાય છે. માણસે ઉપાય શોધ્યો કે મન સ્વસ્થ રહી શકે અને એ માનસિક સ્વાસ્થ સાથે જીવી શકે. દૂષિત ભાવ એક અપાય છે. માણસે ઉપાય શોધ્યો કે ભાવ પ્રસન્ન રહી શકે, નિર્મળ અને નિર્દોષ રહે. ભાવનો દોષ આધ્યાત્મિક બીમારી છે તો ભાવને સ્વસ્થ રાખવા એ આધ્યાત્મિક ચિકિત્સા – સારવાર છે. ધ્યાનની સાધના એટલા માટે છે કે તેનાથી ભાવ શુદ્ધ કરી શકીએ, વિચારોને સ્વસ્થ રાખી શકીએ અને સાથોસાથ શરીરને પણ સ્વસ્થ રાખી શકીએ. ભાવનું સ્વાથ્ય, વિચારોનું સ્વાગ્યે અને શરીરનું સ્વાથ્ય – આ ત્રણેય સ્વાથ્ય આપણને ઉપલબ્ધ થાય એટલા માટે આપણે ધ્યાનની સાધના કરીએ છીએ. આપણે દીદ– લાંબા શ્વાસનો પ્રયોગ એટલા માટે કરીએ છીએ કે ભીતર જે ઝેર ભરાયેલું છે, ભીતર જે ઝેરનો જથ્થો જામ્યો છે તે બહાર નીકળી જાય અને શુદ્ધ પ્રાણ-શક્તિનો તેમાં પ્રવેશ થાય. સમવૃત્તિ શ્વાસનો પ્રયોગ એટલા માટે કરીએ છીએ કે મનની મૂચ્છ તૂટે, મનની જાગૃતિ વધે. મૂચ્છ અને જાગૃતિ – આ બે ધારાઓ છે. એક છે મૂચ્છની ધારા, બીજી છે જાગૃતિની ધારા. જેઓ આત્માને પ્રમાદમાં લઈ જવા ચાહે છે, શૂન્યતામાં લઈ જવા ઇચ્છે છે, આત્મવિસ્મૃતિમાં લઈ જવા ઇચ્છે છે તેઓ મૂચ્છની ધારાના સમર્થક છે અને જેઓ આત્મ-ચેતનાને જાગ્રત કરવા ચાહે છે તેઓ જાગૃતિની ધારાના સમર્થક છે. મૂચ્છની ધારાના સમર્થકો માણસને મૂચ્છની સમાધિમાં લઈ જાય છે. તેઓ ગાંજા, ચરસ, અફીણ આદિ માદક પદાર્થોનું સેવન કરાવીને માણસને આત્મ- વિસ્મૃતિ, મૂચ્છ અને વિચારશૂન્યતામાં લઈ જાય છે. તેઓ માણસને એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં તેને સમાધિનો અનુભવ થાય છે. આમ માણસની આત્મચેતના લુપ્ત કરી, માત્ર મૂચ્છનું સમર્થન કરનારી ધારા મૂચ્છની ધારા છે. પ્રેક્ષા-ધ્યાનની ધારા મૂચ્છની ધારા નથી, એ જાગૃતિની ધારા છે. તેનો ઉદ્દેશ છે, સતત જાગૃતિ. એક પળ માટે પણ આત્માનું વિસ્મરણ ન થાય. જયોતિ સતત પ્રજવલિત રહે. પોતાના અસ્તિત્વનું નિરંતર ભાન રહે. માણસ આત્મ-ચેતના ખોઈ બેસે, બેભાન બને એવી સમાધિને આપણે સમાધિ નથી માનતા અને એવી સમાધિને આપણે મહાન સમાધિનું મૂલ્ય પણ નથી આપતા. આપણે એવી સમાધિનું સમર્થન કરીએ છીએ, એ સમાધિને મૂલ્ય આપીએ છીએ જેમાં વિકલ્પ-શૂન્યતા આવે છતાંય અસ્તિત્વનું ભાન સતત રહે. અસ્તિત્વનું ભાન ભુલાવી દેનારી વિકલ્પ-શૂન્યતા જાગૃતિ નહિ, મૂર્છા છે. આપણને મૂચ્છનો પ્રયોગ નથી જોઈતો. દી-શ્વાસ-પેક્ષાથી મૂચ્છ તૂટે છે. મન શાંત થાય છે, સ્થિર થાય છે. તેમાં મૂચ્છ નથી હોતી. પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220