SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ આભામંડળ નિયમોને છોડીને નવા સમાજનું નિર્માણ કરવા માગે છે અને ન જાણે કેટલાય ગુણધર્મોનો વિકાસ કરવા ઈચ્છે છે, જ્યારે બીજી બાજુ કામ-વાસનાની પૂર્તિ ને તૃપ્તિ માટે પશુના ગુણધર્મોનો ઉપયોગ કરીને મુક્ત ભોગેચ્છાને સમર્થન કરવા ચાહે છે. આ તે કેવો વિરોધાભાસ?! ક્રોધ સ્વાભાવિક છે. ભય સ્વાભાવિક છે. કામ-વાસના સ્વાભાવિક છે. આ બધું શીખવું નથી પડતું. સ્વાભાવિકનો અર્થ જ આ છે કે જેને શીખવું પડે. જે જન્મની સાથોસાથે જ આવે છે તે હોય છે, સ્વાભાવિક. કોધ શીખવો નથી પડતો, ક્ષમા શીખવી પડે છે. ભય શીખવો નથી પડતો, અભય શીખવો પડે છે. અબ્રહ્મચર્ય શીખવું નથી પડતું, બ્રહ્મચર્ય શીખવું પડે છે. આમ કેટલુંક નૈસર્ગિક છે, કેટલુંક સાધનાલબ્ધ. નૈસર્ગિકને જ બધું માની લેવાથી સમાજ નથી બનતો. માણસે આ બધી નૈસર્ગિક બાબતોને ઉદાત્ત કરી છે. તેનું માર્ગોત્તરીકરણ કરીને માણસે અનેક વિશેષતાઓ અજિત કરી છે. માણસની બધી ઊર્જા પ્રાકૃતિક નિયમોને પૂર્ણ કરવામાં જ વહેતી હોત તો આજ માણસ આટલો જ્ઞાની ન હોત, તો એ આટલો કલા-નિપુણ ન હોત. તે ન સત્યોને શોધી શકયો હોત, ન તે સૂક્ષમ રહસ્યોને પામી શક્યો હોત. માણસે જે મહાનતાઓ, વિશેષતાઓ ઉપલબ્ધ કરી છે તે તેણે પોતાની ઊર્જાનું દિશાન્તરણ કરીને જ કરી છે. એક માણસ સત્યની શોધમાં લાગ્યો, ધર્મની સાધનામાં લાગ્યો અને સમગ્ર જીવન તેમાં ખર્ચી નાખ્યું. તેની ઊર્જા સત્યની શોધમાં લાગી અને તેણે સમગ્ર જગતને નવાં નવાં સત્યોથી ભરી દીધું. સમગ્ર સંસાર, આખી દુનિયા તેની ત્રણી બની. જ્યારે જ્યારે પણ માણસે મોટું કામ કર્યું છે ત્યારે ત્યારે તેણે પોતાના અનુરાગના પ્રવાહને દિશાન્તરિત કરીને જ કર્યું છે. વાચસ્પતિ મિએ એક મહત્ત્વપૂર્ણ ગ્રન્થ લખવાનો શરૂ કર્યો. એ પરણેલા હતા. હજી હમણાં હમણાં લગ્ન થયાં હતાં. રાતદિવસ એ ગ્રન્થના લેખનમાં લાગી ગયા. તમામ અનુરાગ ગ્રન્થલેખનમાં લાગી ગયો. બાર વરસ વહી ગયાં. રોજેરોજ નવોઢા આવતી અને બુઝાતા દીપકમાં તેલ પૂરીને ચાલી જતી. તેનો આ ક્રમ રોજ ચાલતો. ગ્રન્થ પૂરો થવાની અણી પર હતો. રાતનો સમય, વાચસ્પતિ લખી રહ્યા હતા. પત્ની આવી. દીપમાં તેલ પૂરીને એ જવા લાગી. વાચસ્પતિએ માથું ઊંચું કરીને પૂછ્યું: “અરે! તું કોણ છે? અહીં કેમ આવી છે?” તેણે કહ્યું : “હું તમારી પત્ની ભામતી છું.” આ સાંભળતાં જ વાચસ્પતિને લગ્નની યાદ આવી ગઈ. બાર વરસના લગ્ન-સંસ્કાર સાકાર થઈ ઊઠયા. તેમણે કહ્યું: 'માફ કરજે. હું ભૂલી જ ગયો હતો. મને ભાન જ ન રહ્યું કે મે લગ્ન કર્યા છે. છેવટે તેમણે પોતાની પત્નીની સ્મૃતિમાં એ ગ્રન્થનું નામ રાખ્યું: “ભામતી'. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy