SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ આભામંડળ અને શકિત-જાગરણ [૧] ૧૪૭ નથી પહોંચતો, જ્યાં સુધી તેનાં બધાં જ કષાય ક્ષીણ નથી થઈ જતાં ત્યાં સુધી રાગથી સર્વથા છુટકારો નથી થતો, પરંતુ અહીં રાગનું દિશાન્તરાણ થાય છે. માણસનો રાગ ધર્મમય બની જાય છે. ધર્મ પ્રત્યે, સત્ય પ્રત્યે રાગ થઈ જાય છે. સાધનાનું મહત્વનું સૂત્ર છે: “અનુરાગા વિરાગઃ - અનુરાગથી વિરાગ થાય છે. એકના પ્રત્યે અનુરાગ, બીજા પ્રત્યે વિરાગ. વિરાગ અને રાગ બંને સાપેક્ષ છે. આત્મા પ્રત્યે જ્યારે રાગ ઉત્પન્ન થાય છે ત્યારે પદાર્થ પ્રત્યે વિરાગ થાય છે. પદાર્થ પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે ત્યારે આત્મા પ્રત્યે વિરાગ થાય છે. આત્મા અને પદાર્થ બંને પ્રત્યે એકસાથે રાગ કે વિરાગ નથી થતો. કેટલાક કહે છે કે કામ નૈસર્ગિક છે. તેને છોડીને નવો માર્ગ શા માટે બનાવવો? મૈથુન સંજ્ઞા પ્રાણીમાત્રની સ્વાભાવિક સંજ્ઞા છે. તેને શા માટે બદલવી? આ પ્રશ્ન સ્વાભાવિક છે. કામ માણસનો નૈસર્ગિક ગુણ છે, પ્રાકૃતિક ગુણ છે એટલું માત્ર કહેવાથી સમસ્યાનું સમાધાન નથી થઈ જતું. સાચું આ છે કે જ્યાં સુધી આપણે પ્રાકૃતિક ગુણોનું પણ ઉદારીકરણ નથી કરી લેતા ત્યાં સુધી આપણે પશુની ભૂમિકામાં જ રહીએ છીએ. પશુ માણસ એટલા માટે નથી બનતું કે તે પ્રકૃતિ-પ્રદત્ત નિયમોનો વિકાસ કરવાનું નથી જાણતું. માર્ગાન્તરીકરણ કે ઉદારીકરણ કરવાનું નથી જાણતું. માણસની ક્ષમતાનો વિકાસ એટલા માટે થયો કે એ પ્રકૃતિ-પ્રદત્ત કે નૈસર્ગિક ગુણ જે તેને ઉપલબ્ધ છે, તેનું એ વિશોધન કરવાનું જાણે છે, વિકાસ કરવાનું જાણે છે, તેનું ઉદારીકરણ કરવાનું જાણે છે અને તેને નવું મૂલ્ય આપવાનું જાણે છે. આથી માણસ માણસ છે. તેણે નવી દિશાઓ શોધી છે અને તે પોતાની ચેતનાને સાર્થક કરી શક્યો છે. માણસ જે કામને નૈસર્ગિક માનીને બેસી જાય અને પશુની જેમ તેનો અનિયંત્રિત ઉપભોગ કરતો રહે તો સમાજ જ ન બને. સમાજ ત્યારે જ બન્યો કે જ્યારે તેણે એક વ્યવસ્થા ઊભી કરી, કેટલીક મર્યાદાઓ બાંધી. પશુ નવો માર્ગ શોધવાનું નથી જાણતું. નવો દરવાજો ખોલવાનું નથી જાણતું અને પોતાની ઊર્જાના પ્રવાહને વધુ ઉપયોગી બનાવવાનું નથી જાણતું. આથી એ જ્યાં હતું ત્યાં જ છે અને ત્યાં જ રહેશે. એક તર્ક કરાય છે કે પશુ નગ્ન રહે છે પણ બેડોળ નથી લાગતું પશુ મુક્ત-ચૌનાચાર કરે છે. તેને તેમ કરવામાં સંકોચ-શરમ નથી નડતાં. જ્યારે પશુ આવું કરે છે તો માણસ શા માટે ન કરે? “સંભોગથી સમાધિ જેવા સિદ્ધાંતોમાં આવા તર્ક અપાય છે. આ તકે કેટલો હાસ્યાસ્પદ છે?! આજ જે સમસ્ત માનવસમાજ પશુ બની જાય અને પછી એ પ્રાકૃતિક નિયમોનો ઉપયોગ કરે તો કોઈ આશ્ચર્ય નહીં થાય. એક બાજુ માણસ પાવિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy