________________
૧૪૯ આભામંડળ રાગ નથી થતો, આપણને ઘણી વખત વિચાર આવે છે કે એક અત્યંત કદરૂપા પુરુષ પ્રત્યે એક સુંદર સ્ત્રીને રાગ કેવી રીતે થયો? જેની વિદ્યુત શક્તિશાળી હોય છે તે બીજાને આકૃષ્ટ કરી લે છે. તેમાં રંગ, રૂપ કે સંસ્થાન બાધક નથી બનતાં. વિદ્યુતની અનુકૂળતામાં એવો અનુરાગ ઉત્પન્ન થાય છે કે જેની બીજો કોઈ વ્યાખ્યા નથી કરી શકતું. મુગ્ધતા રંગ પ્રત્યે નથી હોતી. મુગ્ધતા સંસ્થાન કે આકૃતિ પ્રત્યે નથી હોતી. મુગ્ધતા હોય છે વિદ્યુત પ્રત્યે. અનુકૂળધર્મા વિદ્યુત મળી જાય છે ત્યારે બે માણસ આપસમાં બંધાઈ જાય છે. વિદ્યુત વિદ્યુતને પકડે છે, બાંધે છે.
કાવ્ય-શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સ્ત્રી બીજાને આકૃષ્ટ કરવા માટે પોતાનાં કટાક્ષ-બાણો ફેંકે છે. આ કટાક્ષ શું છે? ઘણી વાર વિચાર્યું પરંતુ તેનું યથાર્થ સમાધાન ન મળ્યું. પરંતુ જ્યારે ધ્યાન-સાધનામાં ઊતર્યો ત્યારે સ્પષ્ટ થઈ ગયું. આપણા મગજમાં ખૂબ જ વિદ્યુત પેદા થાય છે. આંખ મગજનો દરવાજો છે. મગજને જોવાના બે ઉપાય છે. કાં તો મગજને શલ્યક્રિયા દ્વારા જોઈ શકાય છે, કાં તો આંખના માર્ગથી તેને પૂરું જોઈ શકાય છે. મગજની વિદ્યુત આંખથી બહાર નીકળે છે.
શરીરની વિદ્યુતને બહાર નીકળવાનાં ત્રણ મુખ્ય સ્થાન છે: આંખ, આંગળીઓ અને વાણી. આ ત્રણ મુખ્ય દ્વાર છે. આંખના માધ્યમથી જે વિદ્યુત બહાર આવે છે તે જ્યારે બીજા માણસની વિદ્યુતથી ટકરાય છે ત્યારે માણસ સંમોહિત જેવો થઈ જાય છે. બધું કામ વિદ્યુતનું છે. આથી જ્યાં સુધી આપણે વિદ્યુતની ગરિમાને કે તેની કાર્યપદ્ધતિને નહીં સમજીએ ત્યાં સુધી કામ કે રાગનું દિશાારણ કે માર્થાન્તરણ નહીં ઘટે. જે માણસ પોતાની વિદ્યુતને, ઊર્જાને વળાંક આપે છે, જે જ્ઞાન પ્રત્યે, ધર્મ પ્રત્યે, આત્મા પ્રત્યે ઊર્જને વાળે છે, તેની કામ-ઊર્જા શક્તિ શિથિલ થઈ જાય છે. તેની રામાનુભૂતિ ઓછી થઈ જાય છે. જે રાગ-પ્રણાલિકાથી વહેતું પાણી કામને, સેકસને સિંચન કરતું હતું, એ માર્ગ ધીમે ધીમે બંધ થતો જાય છે અને નવો માર્ગ ખૂલી જાય છે. એ પાણી પછી બીજા માર્ગેથી વહેવા લાગે છે.
અધ્યાત્મશાસ્ત્રમાં રાગના બે ભેદ મળે છે : પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ. જે રાગ ધર્મ પ્રત્યે હોય છે, આત્મા પ્રત્યે હોય છે, ધર્મમૂર્તિ પુરુષ પ્રત્યે હોય છે તે છે પ્રશસ્ત રાગ. જે રાગ વિષયો ભણી, પદાર્થો પ્રત્યે હોય છે, તે છે અપ્રશસ્ત રાગ. ધમ્માશુરાગર – જે માણસ ધર્મના અનુરાગથી રત છે તે ધાર્મિક હોય છે. ત્યાં પણ અનુરાગ છે. રાગ સમાપ્ત – નિઃશેષ નથી થયો. માત્ર એટલું અંતર આવ્યું કે જે શગ વિષયો કે પદાર્થો તરફ દોડતો હતો, તે રાગ હવે ધર્મ પ્રત્યે થઈ ગયો. એ રાગ સત્યની શોધ પ્રત્યે થઈ ગયો. રાગ વિના કામ નહીં થાય. જ્યાં સુધી માણસ વીતરાગ અવસ્થા સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org