SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ આભામંડળ અને શક્તિ-પગરણ [૧] ૧૪૫ ક્રોધ થઈ આવે છે. કયારેક કામના તરંગો ઊઠે છે. ભયના તરંગો તો બનતા જ રહે છે. સાધક જ્યાં સુધી આ તરંગોથી છુટકારો નથી મેળવતો ત્યાં સુધી તે નિવેદને આગળ નથી વધી શકતો. આને પહોંચી વળતાં પહેલાં આપણે આપણા દૃષ્ટિકોણને શુદ્ધ કરવો પડશે. આપણો દૃષ્ટિકોણ ઘણો સંતાન છે. એ એક પારદર્શી સ્ફટિક છે. તેની પણ એક મુશ્કેલી છે. જે પારદર્શી હોય છે તે બીજાના પ્રતિબિંબને જલદી પકડી લે છે. સ્ફટિક સામે જેવો રંગ આવે છે એ રંગને તે પકડી લે છે, એમ પ્રતિભાસિત થવા લાગે છે. દૃષ્ટિકોણની મુશ્કેલી છે પારદર્શિતા અને પારદર્શિતાની મુશ્કેલી છે તેની સંક્રામકતા. આ સંક્રામકતાથી આપણે કેવી રીતે બચીએ? આપણી સમક્ષ અનેકવિધ વિચાર આવે છે અને તે આપણા દૃષ્ટિકોણથી સંક્રાન્ત થઈ જાય છે. આપણે અધ્યાત્મની યાત્રા માટે ઊપડીએ છીએ. આપણે તૈયારી કરી કે આપણે આત્મદર્શન કરીએ, આત્માની યાત્રા કરીએ. રાગ આપણી વચ્ચે અવરોધ બનીને ઊભો રહી જાય છે. એ આપણા દૃષ્ટિકોણમાં સંકાન્ત થઈ જાય છે. અધ્યાત્મની ભાષામાં જે રાગ છે તે મનોવિજ્ઞાનની ભાષામાં સેકસ કે કામ છે. મનોવિજ્ઞાનીઓએ એક શબ્દપ્રયોગ કર્યો – લિબિડો [libidol. એ કામશક્તિનો બોધક છે. જે કામ-શક્તિ છે તેનો સંબંધ માત્ર સેકસથી જ નથી. લિબિડો' શબ્દ સેકસનો પર્યાયવાચી શબ્દ નથી. છતાં પણ સ્થળ કે સાંકેતિક રૂપમાં મનોવિજ્ઞાન કામ શબ્દને સેકસ દ્વારા અભિવ્યક્ત કરે છે. જ્યાં સુધી કામનું દિશાંતરણ નથી થતું, જ્યાં સુધી રાગને નવી દિશા નથી આપતા ત્યાં સુધી અધ્યાત્મની યાત્રા નથી થઈ શકતી. કામનું દિશાંતરણ કે માર્થાન્તરણ ખૂબ જરૂરી છે. એક દિશાથી પાણી આવી રહ્યું છે. એ જેને સિંચન કરે છે તે જરૂર પાંગરે છે. જ્યાં સુધી આપણે જલ-પ્રણાલિકાને નહીં બદલીએ ત્યાં સુધી નવા છોડ નહિ ઊગે. નવા છોડ ઉગાડવા છે તો જલ-પ્રણાલિકાને વળાંક આપવો પડશે. તેની દિશા બદલવી પડશે. જે પહેલેથી સિંચાઈ રહ્યો છે તે માર્ગને બંધ કરીને નવી નહેર કાઢવી પડશે જેથી એ પાણી બીજાનું સિંચન કરી શકે. રાગ, આકર્ષણ કે શ્રદ્ધા – આ ત્રણેય એકાઈક છે. સાધનાનું આ લક્ષ્ય છે કે આપણી રાગાનુભૂતિ, આપણું આકર્ષણ જે વિદ્યુત પ્રત્યે છે, તેને વાળીને નવા વિદ્યુત પ્રત્યે આકર્ષિત કરવું. કામ, રાગ – આ બધા વિદ્યુત સાથે જોડાયેલા છે. આ બધો વિદ્યુતનો જ ચમત્કાર છે. રાગ શું છે? એક માણસની વિદ્યુત સામા માણસની વિદ્યુતથી સંયુક્ત થાય છે. બંનેનો સંયોગ થાય છે અને રાગ નિર્મિત થાય છે. જો વિદ્યુત સાનુકૂળ નથી હોતી તો રાગ નિર્મિત નથી થતો. આથી એક માણસ પ્રત્યે રાગ થાય છે અને બીજા માણસ પ્રત્યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy