________________
પાંચ . ..
આપણે સૌ જ્યોતિની સાધના માટે ઉપસ્થિત છીએ. જ્યોતિ બે છે : આત્માની જ્યોતિ અને તેજની જ્યોતિ. આપણે બે જ્યોતિની વચ્ચે આપણો ઉપક્રમ કરી રહ્યા છીએ.
- એક છે આત્માની જ્યોતિ. એ સળગે છે પરંતુ તેના પ્રકાશની ખબર નથી પડતી. એ પ્રકાશ કયારેય બુઝાતો નથી. એ એક એવો દીવો છે જે સતત-અખંડ સળગતો રહે છે. તેમાં ઈંધણની કોઈ જરૂર નથી પડતી. તેમાં સહજ જ એવી શક્તિ છે જે હરહંમેશ પ્રજવલિત રહે છે.
બીજી છે તેજસ-જ્યોતિ. આ આપણા શરીરની જ્યોતિ છે. આપણું એક સૂક્ષ્મ શરીર છે. તેનું નામ છે, તેજ-શરીર, બાન-કાળમાં ક્યારેક સ્ફલિંગ સામે આવે છે, ક્યારેક ચિનગારીઓ ઊછળે છે, ક્યારેક રંગ પણ સામે આવે છે. આ રંગ ચિનગારીઓ અને સ્કુલિંગ – તમામ તેજ-શરીરમાંથી નીકળે છે અને કયારેક કયારેક તે દેખાય છે. જ્યારે આપણું મન સૂક્ષ્મ હોય છે, એકાગ્ર હોય છે ત્યારે એ એને પકડી લે છે.
જ્યોતિની સાધનામાં કેટલીક અડચણો પણ છે. આ અડચણો –અવરોધો વૃત્તિઓની છે. આપણે ઘણીબધી વૃત્તિઓ પેદા કરી મૂકી છે અને તે સમયે સમયે ઊછળી આવે છે. આપણા નાડી-તંત્રમાં તરંગો ઊઠતા રહે છે. કયારેક આ ચૈતન્ય-કેન્દ્રથી તરંગ ઊઠે છે તો ક્યારેક તે ચૈતન્ય-કેન્દ્રથી તરંગ ઊઠે છે. અનેક વૃત્તિઓ, અનેક કેન્દ્ર અને અનેક પ્રકારના તરંગો. આ તરંગો સ્નાયુઓને ઉત્તેજિત કરે છે. ઉત્તેજના અભિવ્યક્ત થાય છે. તે સાધનામાં અવરોધ બની જાય છે.
આપણે અભ્યાસ કરીએ છીએ કે તરંગ ન ઊઠે, આપણે સ્નાયુ-તંત્ર એ તરંગને સ્થાન ન આપે. તેને પોતાના ઉપર ન ઉતારે. આપણે સ્નાયુતંત્રના વિશોધનની સાધના કરીએ છીએ. સંસ્કારોની શુદ્ધિની સાધના કરીએ છીએ. સાધનામાં સૌથી મોટો અવરોધ છે ક્રોધ, ભય અને કામવાસના. આ ત્રણ મુખ્ય અવરોધો છે. કયારેક અણગમાની અનુભૂતિ થાય છે અને તરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org