Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 184
________________ transformed. 272Electricity 24hiell Electronic - 274 21-ll gel gel 240 241 431 @ri એકને એક. પદાર્થમાં રહેલી ઊર્જાનું રૂપાંતર થાય એનો નાશ થઈ શકે નહીં. એમ આ પદાર્થ-૫ગલ જેમ પદાર્થ રૂપે છે તેમ ચૈતન્ય પણ પદાર્થ રૂપે છે. અને જો પદાર્થ રૂપે છે તો એનો કેવળ નાશ - સમૂળગો નાશ એનો શક્ય જ નથી. અને જો નાશ નથી. તો એ પદાર્થ સતત છે - છે ને છે. માટે આ નિત્ય છે. જો નાશ નથી તો એ પદાર્થ નિત્ય છે. જો મરી જાય તો આપણે કહીએ કે મૃત્યુ છે. પણ જો મરતો જ નથી તો અમર છે. વાત પૂરી થઈ ગઈ. આમાં બીજી દલીલને અવકાશ જ નથી. એટલે એણે કહ્યું કે, હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.” ભગવાન કહે છે, “ભાવનો નાશ થતો નથી. અભાવની ઉત્પત્તિ થતી નથી. ઉત્પાદ-વ્યય-ધ્રુવપર્યાયના સ્વભાવથી થાય છે. “ના ભાવો વિદ્યતે સતઃ, ના સતઃ વિદ્યતે ભાવ:” આ ચેતન છે એ ભાવ છે. પુદ્ગલ છે એ ભાવ છે. ભાવ એટલે પદાર્થનું ગુણ, લક્ષણ અને ધર્મયુક્ત સ્વરૂપ. તો ચેતનનો ભાવ જે છે તે તો સદાકાળ રહે એમ પુદ્ગલ પણ સદાકાળ રહે. એ પણ નિત્ય છે. અવસ્થાતર એનું પણ થયા કરે. એ જ સુવર્ણપણામાંથી અનેક પ્રકારનાં ઘાટ ઘડીએ. એ ઘાટ નાશ પામે. પણ સુવર્ણપણું નાશ પામે ખરું ? ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ ભાસે.” એવી જ રીતે આ ચેતના ૮૪ લાખ યોનિના, જુદા જુદા દેહમાં ઘાટ ઘે. આ ઘાટ ઘડાયા છે અને આ ઘાટ વીખરાયા છે પણ ચેતન, ચેતનપણે તો ઊભો જ છે અને આવું ૮૪ લાખનું પરિભ્રમણ એણે એકવાર નહિ અનંતવાર કર્યું છે. એક ૮૪ના ચક્કરથી જો પરિભ્રમણનો અંત આવી જતો હોય તો આપણને નિરાંત. પણ ભાઈ ! આ જ્ઞાન કહે છે કે આ ૮૪ના ચક્કરથી અંત આવતો નથી. અનંતકાળ આમને આમ ચક્કર ચાલ્યા કરે છે. માટે કેટલો પંથ બાકી છે એ ખબર નથી. સમ્યક્દર્શન થાય તો ખબર પડે કે મારો પંથ હવે કેટલો બાકી છે. માટે આત્મા નિત્ય છે. આ નિત્ય પદાર્થરૂપે છે માટે છે, ચેતન સ્વરૂપ છે માટે છે, ભાવ સ્વરૂપ છે માટે છે. આ ભાવ ત્રિકાળી ભાવ છે. એના ગુણ, લક્ષણ, ધર્મ. પર્યાયથી એની અવસ્થા થાય છે. દ્રવ્યથી એની નિત્યતા ત્રણકાળની અંદર અબાધિતપણે છે. માટે હે શિષ્ય ! તું તપાસ કરીને મને વાત કરજે કે આ ચેતનનો નાશ થઈ જાય તો ભળે કેમ ? તું સમજુ અને વિચારક છો. આ આત્માની નિત્યતાની જે બધી દલીલ મેં આપી, તેનો તું વિચાર કરીને મને કહેજે.' આ ગુરુ શિષ્યથી સવાયા છે. તે શિષ્યને કહે છે કે, “તું જો આતમાં અનિત્ય કહેતો હોય તો મને એટલું જ કહેજે કે આતમા નાશ થાય ત્યારે એ શેમાં ભળે ?” બસ આટલું જ સમજીને પછી જવાબ આપજે. સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 184 =

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254