Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 250
________________ સિવાય બીજું કશું જ નહીં. જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત.’ જા પ્રયત્ન કર. આ ઉપાય આપ્યા છે. તું કર. આવી જે સાધના, ઉપાસના, આવી પદ્ધતિ, આવી જે સાધકદશા તે આત્માને પામવાની રીત છે. પદ્ધતિ છે. શુદ્ધ સાધના. શુદ્ધ આરાધના એને સુધર્મ કહેવાય. સાચો ધર્મ – સમયે સમયે આત્મત્વની વિશુદ્ધિ પ્રાપ્તિ કરાવે તે. વિશુદ્ધ આત્માનું ઓળખાણ કરાવે છે. એની ઉપલબ્ધિ કરાવે તે. કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. (૧૦૨) ‘કર્મ અનંત પ્રકા૨નાં છે, પણ તેમાં મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે. તે મોહનીય કર્મ હણાય તેનો પાઠ કહું છું.’ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વિતરાગતા, અચૂક ઉપાય આમ. (૧૦૩) ‘તે મોહનીય કર્મ બે ભેદે છે ઃ એક “દર્શન મોહનીય’ એટલે ‘૫૨માર્થને વિષે અપરમાર્થ બુદ્ધિ. અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ.’ બીજુ ‘ચારિત્ર મોહનીય;’ તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોધક એવા પૂર્વસંસ્કારરૂપ કષાય અને નો-કષાય’ તે ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયને આત્મબોધ, અને ચારિત્રમોહનીયને વિતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે. કેમ કે મિથ્યાબોધ તે દર્શનમોહનીય છે; તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે. અને ચારિત્રમોહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેનો પ્રતિપક્ષ વિતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે - તે તેનો અચૂક ઉપાય છે – તેમ બોધ અને વિતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશ સ્વરૂપ છે, માટે તે તેનો અચૂક ઉપાય છે.’ અવિરોધ ઉપાય તરફ સદ્ગુરુનાં આ બોધનું પ્રવચન આગળ વધી રહ્યું છે. ચાર ઉપાય કહ્યાં. સમ્યક્ચારિત્રનો કહ્યો, સમ્યાન અને ક્રિયા, સમ્યક્દર્શન. સુધર્મ. એવી પદ્ધતિ આરાધનાની હોવી જોઈએ. આપણી સાધના એવી હોવી જોઈએ કે જેમાંથી કેવળ આત્મા પમાય. કોઈ જગતનું સુખ પમાય નહીં. કોઈ જગતની કલ્પના સાકાર થાય નહીં. કોઈ મનના ઇચ્છિત ભાવને સાકાર કરવા માટે આપણી સાધના હોઈ શકે નહીં. રીત પદ્ધતિ. સાધના. આરાધના, ઉપાસના. કૃપાળુદેવે કહ્યું છે, ઉપાસના જિન ચરણની અતિશય ભક્તિ સહિત, મુનિજન સંગતિ રતિ, અતિ, સંયમ યોગ ઘટીત.’ ઉપાસના એવી હોવી જોઈએ. ઉપાસના જિન ચરણની.’ જિનેશ્વરના ચરણની ઉપાસના. ચરણ ન શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 0 250 1.

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254