Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 235
________________ રાખું છું. તમે મને મારગ બતાવો. હું પણ જગતના જીવોને મારગ બતાવીશ. પરમાર્થની પ્રભાવના તમે મને કરશો તો હું પણ કરીશ. એક વાર જો નજરે નિરખો, તો કરો મુજને તુમ સરીખો; જો સેવક તુમ સરીખો થાશે, તો ગુણ તમારાં ગાશે.” પ્રભુ અમે પણ તમારાં ગુણ ગાઈને જગતમાં આ માર્ગની પ્રભાવના કરીશું. તમે પણ જગતના જીવોને આ માર્ગ કરુણાથી બતાવ્યો. આમાં તમારો કોઈ સ્વાર્થ નથી. અમે પણ શાસનની પ્રભાવના, ધર્મની પ્રભાવના કરશું આ જૈનશાસન એમ જ જયવંત રહે છે, કે જે માર્ગને પામ્યા છે એ માર્ગની પ્રભાવના કરે છે. અમારે એ પ્રકારે પુરુષાર્થમાં ઉદીત થયું છે. અમને આ ભાગ્ય પ્રાપ્ત થાય. જો તમે અમને અવિરોધ માર્ગ બતાવો તો. એ અવિરોધ માર્ગ શું છે ? એ સગુરુની દેશનાની વિચારણા હવે પછી. સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. GC શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 235

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254