Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 218
________________ ફળ. તીવ્ર કષાયભાવે કર્યા હોય તો અનંત કર્મ બંધાય અને કષાયભાવ મંદ હોય તો હળવો કર્મબંધ પડે. આ બધાં જીવનાં ભાવ ઉપર છે. કર્મનો બંધ મન-વચન અને કાયાના યોગની જીવની જે ક્રિયા છે તેથી કર્મની, પ્રદેશ અને પ્રકૃતિ બંધાય છે. અને કષાયભાવ છે તેનાથી કર્મની સ્થિતિ અને રસ બંધાય છે. પણ આ બંધાયેલા કર્મ અનુસાર એ કર્મનું ભોક્તાપણું હોય છે. જે કર્મ છે એમાં દૂગલમાં એવી અદૂભૂત તાકાત છે કે જીવે જેવા ભાવે કર્મ બાંધ્યું હોય તેવી પ્રકારના, વિપાકના સમયે, એ કર્મ એવું રૂપ ધારણ કરે છે. કારણ કે પુગલ પરમાણુમાં રૂપ, રસ, ગંધ અને વર્ણ છે. એટલે પદાર્થના પરમાણુની અચિંત્ય સામર્થ્યની શક્તિ છે. જેવી પ્રકારનું એને પરિણમન કરાવીએ, તેવી પ્રકારનું પરિણમન તે કરી શકે છે. આખો લોક એ આ જીવના અને પરમાણુનાં સંયોગનું પરિણામ છે. આ દશ્યમાન જગત એ અનંતા જીવોએ કરેલાં ભાવ, અને પુદ્ગલનાં અચિંત્ય સામર્થ્યવાળા અનંતા પરમાણુઓનું સંયોજન છે. આ સૃષ્ટિ સાંયોગિક છે. જેટલી જેટલી જગતમાં રચના છે તે સાંયોગિક છે. એટલા માટે આ મારો દેહ છે તે સાંયોગિક છે. અને એ દેહની રચનામાં, મેં પોતે પૂર્વે કરેલા કર્મોનો નિબંધન ભાવ અને એની સાથે આ દેહવર્ગણાના પરમાણુઓ – આ બન્નેના સંયોગથી જીવને દેહની પ્રાપ્તિ થાય છે. આ દેહ દુનિયામાં સ્વયં કોઈ રીતે, કોઈ કાળે નિર્માણ ન થાય. કોઈ પુદગલ પરમાણના આધાર ઉપર, કોઈ વૈજ્ઞાનિક દેહની રચના ન કરી શકે. દેહની રચના જીવનાં અભાવમાં ન થાય, જીવનાં સદૂભાવથી થાય. એ જીવનો સદૂભાવ એટલે જીવનું હોવાપણું. એમાં જીવને બાકાત કરો તો રચના ન થાય. માટીમાંથી ઘડો થાય. પણ એમાંથી જીવ તત્ત્વ બાદ કરો તો કોઈ કાળે ઘડો ન થાય. ઇંટ, ચૂનો, પથ્થર, સિમેન્ટ એમાંથી મોટા મહાલયો થાય, ડેમ થાય, બંધ બંધાય, રસ્તાઓ થાય પણ સંયોગથી થાય. વિસ્રસા પરિણામ. જગતમાં જે અનંતા અનંત પુદ્ગલ પરિણમે છે તેમાંથી ક્યાંક ટેકરા કે ક્યાંક ખીણ થાય. પણ કેનાલ ન થાય, ડેમ ન થાય. ટેકરા થાય એને સાહજિક પરિણામ કીધું છે. પુલ પરમાણુઓથી વાદળાં બંધાય, જબરજસ્ત અવાજ થાય પણ શબ્દ ન થાય. શબ્દમાં જીવનો સદ્ભાવ જોઈએ. ભાષા વર્ગણાના પરમાણુઓ જડ જ છે. કેટલી બધી તાકાત છે. જીવનો સંયોગ એ પુદ્ગલમાં ભળે એટલે કેટલી તાકાત છે. એ સમજવા માટે કે જડ પરમાણુઓ જીવના સદૂભાવથી શબ્દમાં ફેરવાઈ જાય છે. કારણ કે એ ભાષા વર્ગણાના પરમાણુઓ જડ છે. એ Enlarge કરી શકાય છે. Storage કરી શકાય છે. એનું પ્રક્ષેપણ થઈ શકે છે અને એ ભાષા વર્ગણાના પરમાણુઓને ફેંકવામાં આવે તો frequencyના રૂપમાં એને ફેરવી શકાય છે અને એને કારણે રેડિયો કે T.V.થી દુનિયાના કોઈ પણ ભાગમાં એ શબ્દોનું ગ્રહણ થાય છે. કારણ કે એ પુદ્ગલ છે પણ એનું સામર્થ્ય કેટલું ! ગમે તે માણસ એ શબ્દ બોલે અને એક સંતના મોઢામાંથી એ શબ્દો બહાર પડે એનું સામર્થ્ય કેટલું ? શબ્દ જડ જ છે, પણ તીર્થકરની વાણીની દેશનાનો પ્રભાવ-એનું પ્રભુત્વ, એક સંતની વાણીનો પ્રભાવ ! અને એક સામાન્ય જીવ. દુનિયામાં બધા જીવ રોજનાં લાખો શબ્દ બોલે છે. પણ એની શું કિંમત છે ? પણ આ વચને વર્ગણા, ભાષા વર્ગણાના પરમાણુઓ જડ હોવા છતાં એક સંતના મોઢેથી મંત્રના રૂપમાં જ્યારે બહાર પડે છે ત્યારે એની તાકાત કેટલી? E| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 218 GિE

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254