________________
યુગપ્રધાન જિનચંદ્રમણિ શ્રીમાન જિનવિજયજી પ્રાચીન શિલાલેખ સંગ્રહના બીજા ભાગમાં પિતાના અવલોકન પૃ. ૩૬માં કર્થ છે કે –
“સં. ૧૯૩૯થી ૧૯૬૦ સુધી અકબરને જૈન વિદ્વાનોને સતત સહવાસ રહ્યો, તેમાં પ્રથમના દશ વર્ષોમાં તપાગચ્છનું અને પછીના દશ વર્ષમાં ખરતરગચ્છનું વિશેષ વલણ હતું એમ કહેવામાં કાંઈ હરક્ત નથીપરંતુ સાથે એટલું તો અવશ્ય કહેવું જ જોઈએ કે ખરતરગચ્છ કરતાં તપાગચ્છને વિશેષ માન મળ્યું હતું. અને બાદશાહ પાસેથી સુકો પણ એ ગ૭વાળાઓએ અધિક કરાવ્યાં હતાં.”
લેખકે હીરવિજયસૂરિ સંબંધી ટૂંક ઉલ્લેખ છ પ્રકરણમાં કરી તેમનું સવિશેષ ચરિત જેવા વાચકને “સૂરીશ્વર અને સમ્રાટ’ એ પુસ્તકનો હવાલો આપી દીધો છે.
તપાગચ્છાચાર્ય હીરવિજયસૂરિ સં. ૧૬૩૯ થી ૧૯૪૨ એમ ત્રણ વર્ષ અકબર બાદશાડ પર પ્રભાવ પાડી ગુજરાત પ્રત્યે વિહાર કરી ગયા ને પોતાના કેટલાક શિગ્યને વખતો વખત તેના પરિચયમાં આવ્યું જાય તે માટે રાખતા ગયા. ત્યાર પછી ખરતરગચ્છાચાર્ય જિનચન્દ્રસૂરિએ સમ્રાટનું કર્મચન્દ્ર મંત્રી દ્વારા આમંત્રણ થતાં લાહોર જઈ અકબર બાદશાહને મળી પિતાનો અને પોતાના ધર્મને પરિચય કરા (લાહોરમાં પ્રવેશ સં. ૧૬૪૮ ફા.સુ. ૧૨) ત્યાર પછી તેમણે તથા તેમના શિષ્યમંડળે-જિનસિંહસૂરિ આદિએ તે અકબર બાદશાહ પર પિતાની અસર ચાલુ રાખી–એ સર્વે का सरदार था और बाल (? भानु)चंद्र तपोंका, दोनों सदा स्वर्गवासी श्रीमान् (अकवर )की सेवामें रहते थे।
(જહાંગીરનામા, હિંદી લેખક)