Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 237
________________ વિધિવ્યવસ્થાપક છે. આવા સાધકો પણ અનેકજીવને વિધિપ્રત્યે રુચિ પેદા કરાવી માર્ગે જોડનારા બને છે. માટે તેઓનું દર્શન પણ વિપ્નવૃન્દનાશક છે. એટલે જેઓ સ્વયં વિધિસંપાદક પણ છેને વિધિવ્યવસ્થાપક પણ છે તેઓનું દર્શન તો વિઘ્નસમૂહનાશક હોય જ એ સ્પષ્ટ છે. આ પ્રમાણે અમે (વૃત્તિકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજ) કહીએ છીએ. |૧૬T अर्थमं प्रसक्तमर्थं संक्षिपन् प्रकृतं निगमयन्नाहकयमित्थ पसंगेणं ठाणाइसु जत्तसंगयाणं तु। हियमेयं विनेयं सदणुट्ठाणत्तणेण तहा ॥१७॥ कयमित्थत्ति । कृतं = पर्याप्तं अत्र प्रसङ्गेन = प्ररूपणीयमध्ये स्मृतार्थविस्तारणेन । અવતરણિતાર્થ હવે આ પ્રસક્ત અર્થનો સંક્ષેપ કરતા અને પ્રસ્તુત અર્થનું નિગમન કરતાં ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ : અહીં પ્રસંગથી સર્યું. સ્થાનાદિમાં યત્નસંગતજીવોને આ ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન હિતકર જાણવું તથા સદનુષ્ઠાનરૂપે પણ એને હિતકર જાણવું. વૃત્તિઅર્થ પ્રરૂપણીય વિષયની વચમાં યાદ આવી ગયેલી વાતનો વિસ્તાર (એવી બાબતનું નિરૂપણ) એ પ્રસંગ છે. આવા પ્રસંગથી હવે સર્યું. વિવેચનઃ ચૈત્યવન્દનસૂત્રપ્રધાનને યોગ્ય જીવો કોણ? એની પ્રરૂપણા ચાલતી હતી. માટે એ પ્રરૂપણીય અર્થ કહેવાય, એમાં સ્થાનાદિમાં પ્રયત્નશીલ જીવોને અધિકારી બતાવ્યા. એટલે એના પ્રતિપક્ષ તરીકે સ્થાનાદિના પ્રયત્નશૂન્ય અવિધિ કરનારા જીવો યાદ આવ્યા. તેથી અવિધિ કરનારા જીવોમાંથી કોને દોષ થાય કોને લાભ થાય વગેરે વાતો પ્રસક્તાર્થ કહેવાય. એનું વિસ્તારથી નિરૂપણ કર્યું. હવે એ નિરૂપણને અટકાવી મૂળ વાત પર ગ્રન્થકાર આવવા માગે છે. એ માટે હવેની ૧૭મી ગાથા છે. स्थानादिषु = प्रदर्शितयोगभेदेषु यत्नसंगतानां तु = प्रयत्नवतामेव एतत् = चैत्यवन्दनाद्यनुष्ठानं हितं = मोक्षसाधकं विज्ञेयं, चैत्यवन्दनगोचरस्थानादियोगस्य 20 ગિર્વિશિકા...૧૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290