Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 247
________________ વિવેચનઃ અનુષ્ઠાનવેળા જિનવચનોનું સ્મરણ કરીને તેને અનુસરીને અનુષ્ઠાન કરે, વળી પ્રમાદાદિવશાત્ પણ વિધિપાલનમાં વિકલતા ન આવવા દે.. આ રીતે શાસ્ત્રવચન મુજબ થતું પરિપૂર્ણ અનુષ્ઠાન એ વચનાનુષ્ઠાન છે. (૧) રાગ-દ્વેષગ્રસ્ત અવસ્થામાંથી વીતરાગતાએ પહોંચવું એ સાધના છે. એટલે સાધકની જે પ્રવૃત્તિ રાગ-દ્વેષને મોળા પાડી વીતરાગતા તરફ લઈ જનારી હોય એને જ “ઉચિત પ્રવૃત્તિ’ કહી શકાય છે. ઉત્સર્ગની જેમ ક્યારેક આપવાદિક પ્રવૃત્તિ પણ ઉચિત હોય છે. એમ ક્યારેક તપ તો ક્યારેક ત્યાગ... ક્યારેક સ્વાધ્યાય તો ક્યારેક વૈયાવચ્ચ... આ બધું જ “ઉચિત હોય શકે છે. ક્યારે શું ઉચિત છે એનો નિર્ણય શાસ્ત્રાર્થ વિના શી રીતે થાય? એ નિર્ણય થયા પછી પણ કર્યું અનુષ્ઠાન ક્યા કમેકઇ વિધિએ કરવું એ બધું શાસ્ત્રાર્થવિનાજાણી શકાતું નથી. શાસ્ત્રના અધ્યયનકાળે એ જાણ્યું હોવા છતાં, જો અનુષ્ઠાનકાળે એનું પ્રતિસધાન (=સ્મરણ) કરવામાં ન આવે તો પણ અ, આચરણ થઈ શકતું નથી. સ્મરણ કર્યા પછી પણ જો સત્ત્વ નબળું હોય તો પ્રમાદાદિના કારણે શાસ્ત્રાર્થનિર્દિષ્ટ વિધિ ન પણ જાળવે, અને તેથી અનુષ્ઠાન વચનાનુષ્ઠાન ન થાય. ક્યારેક શાસ્ત્રાર્થનું પ્રતિસધાન કરી એ મુજબ પ્રવૃત્ત થઈ ઉચિત પ્રવૃત્તિ કરે ને ક્યારેક શાસ્ત્રાર્થનું પ્રતિસધાનન કરવાના કારણે કે ક્યારેક એ પ્રતિસધાન કરવા છતાં પ્રમાદાદિવશાત્ તદનુરૂપ પ્રવૃત્તિન કરે. આવું થતું હોય તો શાસ્ત્રાનુસારી ઉચિત પ્રવૃત્તિકાળે પણ એ અનુષ્ઠાન “વચનાનુણાન’ ન કહેવાય, કારણકે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ થતી હોય તો જ વચનાનુષ્ઠાન છે. ષોડશજીની ગાથાનો અર્થ આ પ્રમાણે છે – ક્ષમા-પડિલેહણ વગેરે બધા ધર્મવ્યાપારમાં દેશ-કાળ-પુરુષ-વ્યવહારાદિના ઔચિત્યપૂર્વક આગમાર્થઅનુસ્મરણ વાળી જે પ્રવૃત્તિ થાય છે તે વચનાનુષ્ઠાન છે. તે નિયમાં સાધુને જ હોય છે, કારણકે ભવદુર્ગલંઘનરૂપઠું ગુણઠાણું એને જ પ્રાપ્ત હોવાથી એ જ લોકસંજ્ઞામુક્ત હોય છે. આ નિશ્ચયનયમત જાણવો. વ્યવહારનયેતો જિનવચનને અનુસરીને માર્ગાનુસારી જીવ પણ જે પ્રવૃત્તિ કરે તે દેશથી વચનાનુષ્ઠાનરૂપ બને છે, એ જાણવું. તથા વચનાનુષ્ઠાન ચારિત્રવાનું હોવાનું જણાવ્યું છે. દેશવિરત પણ ચારિત્રવાનું તો છે જ. માટે દેશવિરતને પણ વચનાનુષ્ઠાન હોવામાં તો કોઈ શંકા રાખવી નહીં. શંકા પણ વૃત્તિકારે તો શાસ્ત્રાર્થપ્રતિમાનપૂર્વ સાધો:..' વગેરે જણાવી 230) યિોગવિંશિકા ૧૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290