Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 250
________________ વિવેચન : દંડથી ચાકડો ઘુમાવવા માટે પ્રારંભે દંડના વ્યાપારની આવશ્યકતા હોય છે. આ વ્યાપારથી ચાકડામાં સંસ્કાર ઉત્પન્ન થઈ ગયા બાદ ઠંડના વ્યાપાર વિના પણ એ સંસ્કારવશાત્ ચાકડો ઘુમતો રહે છે. એમ સાધકની ઉચિત પ્રવૃત્તિ માટે પ્રારંભે જિનવચનોનો વ્યાપાર આવશ્યક હોય છે. આશય એ છે કે અનાદિકાળથી પ્રમાદ અને મોહના વ્યાપારથી પ્રવૃત્તિ કરી હોવાથી અત્યાર સુધી એના જ સંસ્કાર હતા. અને તેથી પ્રમાદ-મોહજન્ય પ્રવૃત્તિ જ લસણગન્ધન્યાયે આત્મસાત્ થયેલી. એટલે જીવનો કોઇ વિશેષ પ્રયત્ન ન હોય તો એ મોહજન્ય પ્રવૃત્તિ જ થયા કરતી હતી. સંસારના સ્વરૂપને પિછાણી ચૂકેલો સાધક આ અનાદિની ચાલરૂપ મોહની પ્રવૃત્તિને (અનુચિત પ્રવૃત્તિને) અટકાવવાનો ને ઉચિત પ્રવૃત્તિને અપનાવવાનો એક માત્ર માર્ગ ‘જિનવચનને અનુસરવું’ એ દેખે છે. તેથી ભવવૈરાગ્ય અને મોક્ષાભિલાષ (=સંવેગ) આ બન્નેની પ્રબળતાને અનુસરીને, એ બન્નેને સફળ કરનાર એક માત્ર ઉપાયભૂત જિનવચનો પ્રત્યે પ્રબળ આકર્ષણ પેદા થાય છે. એટલે જ એ ડગલે ને પગલે ‘મારા ભગવાને શું કહ્યું છે ?' એ વિચારતો થાય છે ને તદનુસાર પ્રવૃત્તિ કરતો થાય છે. આ વચનાનુષ્ઠાન છે. અલબત્ અનાદિકાલીન મોહવ્યાપારજન્ય સંસ્કારો પ્રતિબન્ધ કરવા ઊંચા-નીચા થયા કરે છે. પણ વિપરીત પ્રવૃત્તિ કરાવવા રૂપે એ સફળ ન થઈ જાય એ માટે જિનવચનોનું સતત આલંબન લેવું પડે છે. આ માટે જિનવચનો પ્રત્યે ભારોભાર બહુમાન આવશ્યક છે. તેમજ જિનવચનોનો અભ્યાસ, પરાવર્તન, વિમર્શ, અનુપ્રેક્ષા, ભાવન વગેરે અનિવાર્ય હોય છે. તેથી વચનાનુષ્ઠાન, મુખ્યતયા જ્ઞાનસંપન્નને હોય છે, અને તેમના નિશ્રાવર્તીને ગૌણરૂપે હોય છે. જિનવચનોને સતત સ્મરણમાં રાખીને તન્યવ્યાપારરૂપે ઉચિત અનુષ્ઠાનને (વચનાનુષ્ઠાનને) વારંવાર સાધક જે કરતો રહે છે એનાથી બે કાર્યો થાય છે. એક તો અનાદિકાલીન મોહવ્યાપારજન્ય સંસ્કારો ક્ષીણ થવા માંડે છે અને વચનવ્યાપારજન્ય સંસ્કારો ઊભા થવા માંડે છે. પરિણામે એક એવી અવસ્થા આવે છે જે પૂર્વઅવસ્થા કરતાં સાવ વિપરીત હોય છે. પહેલાં એવી અવસ્થા હતી કે મોહનજન્ય પ્રવૃત્તિ કરવા માટે કોઇ (મોહજન્ય તેવી પ્રવૃતિ કરવાનું માર્ગદર્શન આપે એવા) પ્રેરક વચનોને યાદ કરવા પડતા નહોતા... એ વગર જ તેવી અનુચિત પ્રવૃત્તિ સહજ રીતે થયા કરતી હતી, કારણકે એના ગાઢસંસ્કાર હતા. ઉચિત પ્રવૃત્તિ કરવા માટે તો એના પ્રેરક જિનવચનોને યાદ કરવા પડતા હતા, કારણકે એના એવા કોઇ સંસ્કાર નહોતા. સંસ્કારજન્ય અનુષ્ઠાન Jain Education International For Private & Personal Use Only 233 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290