________________
४४
વિવેકવિલાસ, દ્વિતીય ઉલ્લાસ. दिवाकीर्तिप्रयोगे तु, वाराः प्रोक्ता मनीषिभिः ।। सौम्येज्यशुक्रसोमानां, क्षेमारोग्यसुखप्रदाः॥ १६ ॥
અર્થ–સૈાર કર્મને વિષે બુધ, ગુરૂ, શુક્ર અને સોમ એ ચાર વાર ક્ષેમ, આરોગ્ય અને સુખના દાતાર છે એમ પંડિત લેકેએ કહ્યું છે. ( ૧૬ )
क्षौरं प्रोक्तं विपश्चिद्भि-मुंगे पुष्ये चरेषु च ॥ ज्येष्ठाश्विनीकरबन्द्र-रेवतीषु च शोभनम् ॥ १७ ॥
અર્થ –-મૃગ, પુષ્ય, ચરનક્ષત્ર (સ્વાતિ, શ્રવણ, ધનિષ્ઠા, શતતારકા), જયેષ્ટા, અશ્વિની, હસ્ત, ચિત્રા અને રેવતી એટલા નક્ષત્રોને વિષે તૈયાર કર્મ કરાવવું શુભ છે, એમ વિદ્વાન લકોએ કહ્યું છે. (૧૭)
क्षौरे राजाज्ञया जाते, नक्षत्रं नावलाक्यते ॥ कैश्चित्तीर्थे च शोके चं, क्षौरमुक्तं शुभार्थिभिः ॥ १८॥
અર્થ–રાજાની આજ્ઞાથી સૈર કરાવવું પડે તો નક્ષત્ર જેવાય નહીં. કેટલાક શુભાર્થી લોકોએ કહ્યું છે કે, તીર્થને વિષે અથવા શકને લીધે ક્ષાર કરાવવું હોય તો એ નક્ષત્ર જોવું નહીં. (૧૮)
रात्रौ संध्यासु विद्यादौ, क्षौरं नोक्तं तथोत्सवे ॥ भूषाभ्यङ्गाशनस्नान-पर्वयात्रारणेष्वपि ॥ १९ ॥
અર્થ–રાત્રિએ, સંધ્યાકાલને વિશે, વિદ્યાના આરંભમાં, ઉત્સવમાં, ભૂષણ અલ્લંગ (તૈલ મર્દન), ભોજન અને સ્નાન કરી રહ્યા પછી, કોઈ પર્વને દિ તથા યાત્રાએ અથવા સંગ્રામને વિષે જતાં સાર કરાવવું નહીં. ( ૧૯)
कल्पयेदेकशः पक्षे, रोमश्मश्रुकचानखान् ॥ नचात्मदशनाओण, स्वपाणिभ्यां नचोत्तमः ॥ २१
અર્થ -પખવાડિયામાં એકવાર દાઢી, મૂછ, માથાના વાળંથા નખ કાઢવાં. પણ પોતાના હાથે પોતાનાં વાળ ન કાઢવા, તથા પણ દાંતથી, પિતાના નખ પણ ન કાઢવાં, ( ૨૦ )
"Aho Shrutgyanam