Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 162
________________ What is Life ? Life is a Goal achieve it મંઝિલ વગ૨ની મુસાફરીનો અર્થ શો ? દરેક યાત્રાનું એક ધ્યેય..... એક લક્ષ્ય હોય છે, તો પછી જીવન લક્ષવિહોણું કેમ ચાલે ? ધ્યેયવિહોણું જીવન મુર્દ જીવન છે... ગતાનુગતિક રૂઢિઓની વણઝારને વળગ્યા રહેવું ને ગૂંગળાતા.... ગૂંચવાતા જીવવું એ શું જીવન છે...? એક આદર્શ જોઈએ આંખ સામે ! નકશો બનાવો જીવનનો અને એ મુજબ સફર આરંભો ! ભલે વર્ષોની વેલ પાંગર્યા કરે ને જનમોના જળ વહ્યા કરે.... પણ લક્ષ્યને આંબવાનું છે જ. ગંગોત્રીની ગોદમાંથી નીકળતી ગંગા સાગરની સોડ શોધે છે. અથડાતી, કૂટાતી... ક્ષીણ બનતી, વિસ્તીર્ણ બનતી.... આફતોમાં આળોટતી.... અંતે તો પહોંચે છેજ દરિયાની સોડમાં!તમારી તમન્નાઓનોતરવરાટ તમને કેડી ચીંધે... જંજીર ઝાંઝર બને એવી ઝિંદાદિલી જગાવો જિગરમાં ! લક્ષ્ય હો પૂર્ણાનંદનું ! જીવન હો આત્માનંદનું ! उठाके आँख तो देखो कहाँ हो ? नहीं है दोस्त, ये मंजिल, जहाँ हो न बैठो हार कर पोंछो पसीना તો, સમજો અમી તો તુમ ખવાં હો । વિચાર પંખી ૧૫૭ Jain Education International For Private & Personal Use Only Kumaraputery.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194