Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 181
________________ Life is not a still Photograph it is just a movie જિંદગી સ્થિર ચિત્ર નથી પણ પળે પળે ચાલી જતી ચિત્ર-શ્રેણી છે. જિંદગીના રંગો પળે પળે પલટાતા રહે છે. બજારના ભાવો જેમ એક સપાટીએ સ્થિર નથી રહેતા એમ મનના ભાવો પણ એક સપાટીનથી જાળવી શકતા. પણ મજા તો ત્યાં છે કે આપણી જિંદગીનેસ્થિર અને સુવ્યવસ્થિત માની બેસીએ છીએ ! જ્યારે કે જીવન જેટલું અસ્તવ્યસ્ત અને વહી જતો પદાર્થ દુનિયામાં બીજો છે કયો? જરી બતાવો તો ખરા ! આપણી બહુ મોટી ભૂલ છે કે આપણે જિંદગીને સમજી શકતા નથી કે સમજપૂર્વક સ્વીકારી શકતા નથી ! આપણને જેવી કલ્પના હોય એવું જીવન કંઈ મળી જતું નથી. અલબત આપણે આપણું જીવન બનાવી શકીએ ! જીવન -નદીનું વહેણ વહ્યા જ કરે છે, વહેછે માટે તો જીવન છે, જીવંત છે! અટકી જશે તો ઝંખવાઈ જશે. પણ દોસ્ત પળેપળ જીવવા માટેઝિંદાદિલી જોઈએ, જોશ જોઈએ. સબૂર, જોશ સાથે હોશ તો જોઈએ જ! નહીંતર બેહોશને ખાનાબદોશ થતા વાર નહીં લાગે! ) વિચાર પંખી ૧૭૬ Jath Education Sternational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194