Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 172
________________ ભીંસમાં લેવાનો વિચાર કરતા પહેલા આપણું ડિફેન્સરક્ષણ' કરી લેવું' પણ જરૂરી બને છે... એ માટે ‘કેસલિંગ’ કરીને રાજાને સુરક્ષિત બનાવી દેવો પડે છે. ‘કેસલિંગ’ કર્યા પછી પણ રાજા ‘ચેકથી’ બચે એની તકેદારી રાખવી પડે છે, આટલું કરી લીધું.... બસ, પછી પૂરા જોર શોરથી આક્રમણ કરીને સામાને ઘેરી લેવાનો! ‘શતરંજનો’ તાજ તમારા માથે ! જિંદગીનું પણ બિલકુલ આવું જ છે દોસ્ત !કંઈ પણ નિર્ણય કરતા પહેલા નિરીક્ષણ બહુ મહત્વનું છે.... આપણી શક્તિ સંજોગો અને આસપાસના વાતાવરણને મૂલવીને / તપાસીને પછી જીવનનો ‘પ્લાન’ કરો ધ્યેય નક્કી કરો કયાં જવું છે, એનો નિર્ણય કરો પણ સબૂર! સમાજની સાથે/સામે સંઘર્ષોનો બ્યૂગલ વગાડતા પહેલા જાતને સુરક્ષિત કરી લ્યો .... આક્ષેપો | સંદેહ / કટાક્ષો કે આલોચનાઓથી મન પડી ના ભાંગે એવું ડિફેન્સ' કેળવી લ્યો .... અને પછી પૂરા જોશોજિગરથી જિંદગીના ધ્યેય સુધી પહોંચવા માટે નીકળી પડો! પીછેહઠ કદાચ કરવી પડે તોય વ્યૂહરચનાપૂર્વક ... આગે બઢવાની તક મેળવવા માટે જ! કયારેક સામાના વજીરને લેવા એકાદ ઘોડો કે એકાદ પ્યાદું ગુમાવવું પડે તોય તૈયારી રાખજો ! ભીતરમાં સંસ્કારો ને હિંમતની મૂડી સલામત છે તો જીવનની શતરંજ ૫૨ તમે કયારેય નહીં હારી શકે! ભલે પછી બાજી ગમે તેટલી લાંબી ચાલે! વિચાર પંખી ૧૬૭ Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194