Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust

View full book text
Previous | Next

Page 26
________________ ૪૧ [ વૈરાગ્યવર્ષા જોર છે તેટલું જોર આત્માનું પણ તેની સામે જોઈશે. માટે જ્ઞાનીને એમ થાય છે કે મારા ભાવને આ ક્ષણે તૈયાર કરું, આ પળે તૈયાર કર્યું. “આ પળે કરું એવો જેણે અભ્યાસ પાડી રાખ્યો છે તેને મરણ વખતે આ પળ જ' આવી જશે. ૧૬૩. (દૃષ્ટિનાં નિધાન) * જે પુરાણા કર્મોને ખપાવે છે, નવા કર્મોને આવવા દેતો નથી ને દરરોજ જિનદેવને ધાવે છે, તે જીવ પરમાત્મા થઈ જાય છે. ૧૬૪. ( White) * સંસારરૂપી ઘટીયંત્રમાં એક પાટલી સમાન એક વિપત્તિ દૂર કરાય તે પહેલાં તો બીજી ઘણી વિપત્તિઓ સામે ઉપસ્થિત થાય છે. ૧૬૫. (શ્રી ઈોપદેશ) * હે નાથ! દુઃખમાં કે સુખમાં, વેરી પ્રત્યે કે બંધુવર્ગ પ્રત્યે, સંયોગમાં કે વિયોગમાં, ઘરમાં કે જંગલમાં, સંપૂર્ણ મમત્વવૃદ્ધિ દૂર થઈને મારું મન સદાય સમભાવી રહો. ૧૬૬. (શ્રી સામાયિક પાઠ) * સુખ ધાનેકે ભાવસે પ્રેરિત હોકર મૂર્ખ મનુષ્ય કથા કપા પાપ નહિ કર ડાલતે હૈં? જિસ પાપસે કરોડો જન્મોમેં ભી દુઃખોકો પાતે હૈં. ૧૬૭. શ્રી સારાકુવા * હે મૂઢજીવ! તું અહીં અલ્પ દુ:ખને પણ સહન કરી શકતો નથી તો વિચાર તો ખરો કે ચાર ગતિના ભયંકર દુઃખોના કારણભૂત કર્મોને તું શા માટે કરે છે? ૧૬૮. શ્રી જબાનબા * અજ્ઞાનીઓ જીવવાને લકે જીવી રહ્યા છે એટલે તેને મરણ ગમતું નથી. મરણ આવ્યે પણ તેને જીવવાનું લક્ષ રહ્યા કરે છે. જ્ઞાનીઓ તો મરવાના બર્ષે જ જીવે છે. એટલે આગળથી વૈરાગ્યવાં ] ૪૨ અજમાયશ અને અખતરા તૈયાર કરી રાખેલ છે; પછી તે મરણને આનંદથી વધાવી લે છે, તેને મરણનાં છેલ્લા ટાણાં બહુ મહોત્સવના હોય છે; તેથી આનંદથી દેહને છોડે છે. જીવવાના ભાવે તો અનંત વખત જીવ્યો, પણ મરવાના ભાવે કોઈ વખત જીવ્યો નથી. મરવાના ભાવે જીવે તો ફરી તેને જન્મ લેવો જ ન પડે.૧૬૯. (દૃષ્ટિનાં નિધાન) * મારી નિકટમાં પ્રાપ્ત થયેલ કોઈ પણ મિત્ર, અથવા અન્ય કોઈનું મારે પ્રયોજન નથી, મને આ શરીરમાં પણ પ્રેમ રહ્યો નથી, અત્યારે હું એકલો જ સુખી છું. અહીં સંસારપરિભ્રમણમાં ચિરકાળથી જે મને સંયોગના નિમિત્તે કષ્ટ થયું છે તેનાથી હું વિરક્ત થયો છું. તેથી હવે મને એકાકીપણું (અદ્વૈત) અત્યંત રુચે છે. ૧૭૦. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ) * આ વિષષસુખ તો બે દિવસ રહેનારા-ક્ષણિક છે. પછી તો દુઃખની જ પરિપાટી છે. માટે હે જીવ! તું તારા આત્માને ભૂલીને પોતાના જ ખભા ઉપર કૂહાડાનો પ્રહાર ન કર. ૧૭૧. (શ્રી પાહુડ દોહા) * સુખમાં, દુઃખમાં, મહારોગમાં, ભૂખ આદિ ઉપવમાંબાવીશ પરિપહોંમાં અને ચાર પ્રકારનાં ઉપસર્ગ આવી પડે ત્યારે શુદ્ધ આત્માનું ચિંતન કરું. ૧૭૨. (શ્રી તત્ત્વજ્ઞાન તરંગિણી) * પોતાની ઉપર કોઈ આપત્તિ આવી પડતાં મનુષ્ય જેવી રીતે દુ:ખી થાય છે તેવી જ રીતે બીજાની ઉપર આવી પડેલી આપત્તિને પોતાની આપત્તિ સમજીને દુઃખનો અનુભવ કરવો તે દયાળુતા છે. ૧૭૩. (શ્રી ક્ષેત્રચૂડામણિ) * દાવાનળની જ્વાળાથી) બળી રહેલા મુગોથી છવાયેલા

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104