Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 593
________________ ૨૦૦૭ પ્રકરણ ૧૬ ] અનુસુંદર (ચક્રવતી-ચેર)નું ઉત્થાન. સંતોષ ઉપજે તેવી ચોમેર વ્યવસ્થા કરી દીધી. આખા લશ્કરને તૈયાર કરીને અને પિતાના કિલ્લાઓને મજબૂત કરીને તે ચારિત્રરાજ મારી સન્મુખ આવવા લાગ્યો. સંપૂર્ણ સામગ્રી સાથે મારી તરફ આવતાં એ રાજેશ્વરને રસ્તામાં મહામહ રાજાના લશ્કર સાથે ભેટો થઈ ગયો. મારી ચિત્તવૃત્તિના એક સુંદર છેડા ઉપર બન્ને લશ્કર વચ્ચે મેટી લડાઈ થઈ. મેં તે લડાઈ જોઈ. એવું મહાયુદ્ધ થયું કે તેનું વર્ણન થઈ શકે નહિ. તે વખતે સમ્યગદર્શન અને સોધમંત્રીની સાથે મેં એ રાજેશ્વર ચારિત્રરાજને ટેકે આ એટલે છેવટે એ ચારિત્રરાજની જીત થઈ. એણે પોતાની લીલાથી સામાના લશ્કરમાંથી ઘણાને હટાવી દીધા અને જયલક્ષ્મી પ્રાપ્ત કરી. પછી એણે શત્રુસમૂહને સારી રીતે પીડીને મારા અંતઃપુરને પિતાના કબજામાં લીધું, મારા અંતરમાં પોતાનું રાજ્ય સ્થાપન કર્યું અને ત્યાર પછી તે પોતે મારી નજીક આવ્યા. મહામહ રાજાના સેવકેનું તો બધું લુંટાઈ ગયું, તેઓ બિચારા બાપડા થઈ ગયા અને જેમતેમ જીવતા તે રહ્યા પણ અંદર ચોરી છૂપાઈને સંતાઈ ગયા. ભદ્ર પુંડરીક! મારી ચિત્તવૃત્તિમાં અત્યારે આ ભાવ વર્તે છે. શત્રુઓ હાલ પલાયન કરી ગયા છે અને મારા ખરા બંધુઓ હર્ષમાં આવી ગયા છે. વળી મારા મનમાં એમ પણ આવ્યું છે કે સર્વજ્ઞ મહારાજે બતાવેલું મુનિલિંગ ગ્રહણ કરીને અને એ ત્રણ જગતને વંદનીય મહા આત્મદાન કરીને મારા આ અંતરંગ બંધુઓનું સારી રીતે પિષણ કરવું.” અનુસુંદર દીક્ષા–મહત્સવ, પિતાની ચિત્તવૃત્તિના અંતરભાવો આવી રીતે અનુસુંદર ચોરે બતાવ્યા, વિગતવાર સમજાવ્યા, અલૌકિક અંતર સ્થિતિનું દિગ્દર્શન કરાવ્યું અને એ પ્રમાણે બેલતાં બેલતાં પિતે જે ચેરનું સ્વરૂપ વૈકિયશક્તિથી ધારણ કર્યું હતું તે પાછું ખેંચવા માંડ્યું, વાત પૂરી થતાં તે પિતે અસલ સ્વરૂપે-ચક્રવતી રૂપે ખડા થઈ ગયા અને તે વખતે પોતે નિશાની કરી એટલે સંકેત પ્રમાણે ચારની જે સામગ્રી સાથે હતી (માળા-ગધેડે-કપડા-છત્ર વિગેરે) તે સર્વ વિસરાળ થઈ ગઈ, ચોરને વિડંબના કરવાનાં સાધને દૂર થઈ ગયાં અને તે જ વખતે એના મંત્રી, સેનાપતિ અને સેના–સર્વ હાજર થઈ ગયા. ચક્રવતીની સર્વ નિશાનીઓ તેના શરીર પર અને તેની આસપાસ ગોઠવાઈ ગઈ. પરંતુ અનુસુંદરને તે એ સર્વ ત્યાજ્ય થઈ ગયું હતું, એને તે પર પ્રેમ કે એહ રહ્યો ન હતો, એના મનમંદિરમાં ચારિત્રરાજની પધરામણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676