Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 659
________________ પ્રકરણ ૨૩ મું. UDIEN Jain Education International તેટલા માટે.' — ભ વ્યપુરૂષા! મહાત્મા પુરૂષાના આ વૃત્તાંત મેં તમને કહી અતાવ્યો, તે ભાવાર્થ સાથે તમે સાંભળ્યા-જાણ્યા, તે હવે એને બરાબર જાણ્યા હાય તેા તેને મળતું ( તઘોગ્ય) અનુષ્ઠાન કરો, જેથી મેં તત્સંબંધી કરેલ પરિશ્રમ ( મહેનત ) સફળ થાય. મારે તમને એક વાત અહીં ખાસ કહી દેવાની છે કે મેં અહીં ( આ ગ્રંથમાં) જે વૃત્તાંત રજુ કર્યો છે તે લગભગ સર્વે સંસારીજીવાને સરખી રીતે મળતા આવે તેવા છે, સર્વ સંસારીજીવાના સંબંધમાં પ્રાયે અને તેવા છે; તેા પછી પેાતાના ચરિત્રને લગભગ મળતું આવતું ચરિત્ર સાંભળીને પછી પશુ તેના તરફ વિલંબ કરવા બેદરકારી કરવી કે તેના તરફ ઉપેક્ષા કરવી એ યેાગ્ય ન ગણાય, એ તમને ઘટે નહિ. જુઓઃ— ઉપસંહાર. પુંડરીક કુમાર આ જંબુદ્રીપમાં આવેલા પૂર્વ મહાવિદેહના સુકચ્છ વિજયમાં શંખપુર નગરે શ્રીગર્ભ રાજા અને રાણી કમલિનીને રાજપુત્ર થયેા હતેા. ભગવાનૂ સમંતભદ્રસૂરિ જે એ જ શંખપુરની પાસે આવેલા ચિતરમ નામના ઉદ્યાનની અંદર આવેલા મનેાનંદન નામના ચૈત્યમાં રહેલા હતા તેને એ બાળકનું પાત્રપણું જોઇને યોગ્ય પક્ષપાત તેના તરફ થયા હતા અને તેને અંગે ત અનેક ભવ્યપુરૂષોને જણાવતા રહ્યા કે ‘મનુજગતિ નગરીમાં અનુકૂળ થયેલા રાજા કર્યપરિણામ અને મહાદેવી કાળપરિણતિએ સુમતિ અથવા ભવ્યપુરૂષ નામના બાળકને જન્મ આપ્યો છે;' વળી 992 ૧ આ આખું પ્રકરણ શાતિને વખતે સ્થીરતાથી વિચારપૂર્વક એકી સાથે વાંચવું. ઈરાદાપૂર્વક એમાં હેડ નેટ કે સાઈડ નોટ કરી નથી. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676