Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 629
________________ પ્રકરણ ૨૦ મું. વૈવ કથાનક-ઉપનય. ડરિક મુનિએ ધ્યાનયોગની મહત્તા જાણી, તેને દ્વાદશાંગીના સારરૂપ જા એટલે અન્ય તીથીઓ પણ જુદા જુદા આકારમાં ધ્યાનગની મહત્તા કહે છે તે છે તેઓ પણ મોક્ષસાધક કહેવાય કે નહિ? અને બે - યની વિચિત્રતા હોવાનું કારણ શું હશે? એ પ્રશ્ન પૂછતાં ગુરૂમહારાજે તીથી એને પલ્લવગ્રાહી કહ્યા અને વૈદ્યના બે પ્રકાર પાડી તેમને ફૂટ વૈદ્ય કહ્યા. એ હકીકત સ્પષ્ટ રીતે જણુંવવા તેઓએ વૈદ્યની નાની કથા કહી સંભળાવી અને તેનો અંદરનો ભાવાર્થ પણ જણાવ્યું તે આપણે હવે વાચી લઈએ. ગ્રંથને છેડે હવે નજીકમાં આવે છે, પણ આ છેવટના ભાગમાં હૃદયની ઉર્મિઓ છે, વાતનું રહસ્ય છે અને તરંગના ઉછાળા છે. સમંતભદ્રને આ આખે ખુલાસો બહુ વિશાળ નજરે સમજવા યોગ્ય છે. આચાર્યશ્રી બેલ્યા – વૈદ્ય કથાનક. શાળા, સંહિતા, “એક નગરમાં રહેલા સર્વ લેકે અનેક પ્રકારના મહાવ્યાધિ“ઓના ભેગા થઈ પડેલા હતા. તે નગરમાં એક સાચો વૈદ્ય હતો. એને દિવ્ય જ્ઞાન ઉત્પન્ન થયેલું હતું, સર્વ સંહિતાઓને એ બનાવનાર હતો, સર્વ રોગોનો નાશ કરનાર હતો અને લોકે ઉપર ઉપકાર કરવાની વિશુદ્ધ ભાવનાવાળો હતો. છતાં વાત એવી બનતી કે ૧ સાચા ગ્રંથકાર એને મહા કહે છે. એક નિયમ પ્રમાણે શંખ, તેલ, માંસ, વેદ્ય, જ્યોતિષી, બ્રાહ્મણ, યાત્રા, પંથ અને નિદ્રા સાથે “મહાન' શબ્દ આવે ત્યારે ખરાબ અર્થ થાય છે. આ નિયમ સાર્વત્રિક છે કે કેમ તે હું જાણતો નથી પણ મહાવૈદ્ય એટલે great physicianના આ અર્થમાં મેં સાચે વૈદ્ય, શબ્દ વાપર્યા છે. - ૨ સંહિતાઃ કોઈ પણ વિષયનું સર્વ મુદ્દાસરથી એક જ ગ્રંથમાં જ્ઞાન થાય તે સમુચ્ચયસંગ્રહ. ધર્મસંહિતા, રેગસંહિતા, મનુસંહિતા વિગેરે એક એક વિષથના સંગ્રહો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676