Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 655
________________ પ્રકરણ ૨૨] અનુસુંદર પુંડરીક મહાભદ્રા સુલલિતાને મેક્ષ. ૨૦૬૮ પ્રભ! મેં કઈ પણ ખરાબ આચરણ આ ભવમાં કે અન્યત્ર “કર્યું હોય, મારાથી થઈ ગયું હોય તે સર્વને હું નિંદું છું, વારંવાર નિંદું છું. હું સર્વ ઉપાધિથી વિશુદ્ધ થયેલ છું. મારી અત્યારે આવી “મતિ વર્તે છે. બાકી એનું ખરું તત્ત્વ તો કેવળી ભગવાન જાણે છે. હું સંસારપ્રપંચથી તદ્દન અળગો થઈ ગયો છું, તેના તરફ “તદ્દન પ્રેમ વગરનો થઈ ગયો છું, મને અત્યારે તો માત્ર એક મોક્ષની જ લગની લાગી છે અને મેં અત્યારે જન્મમરણને “સર્વથા નાશ કરનાર મહાત્મા જિનેશ્વરને મારી જાત અર્પણ “ કરી દીધી છે, મારે આત્મા તેમને સમર્પણ કર્યો છે, એ મહા ત્માઓને સદભાવપૂર્વક મારૂં ચિત્ત અર્પણ કર્યું છે, તેઓ હવે “પિતાની શક્તિથી મારાં બાકીનાં કર્મોનો છેદ કરે.” પાદપપગમ. એ પ્રમાણે પ્રણિધાન કરીને એ મહાત્મા શરીરને વોસિરાવીને એક શિલાતળ પર બેઠા અને સર્વથા નિઃસંગ થઈ તેઓશ્રીએ પાદપપગમ અણુશણ આદર્યું. ઉપસ. ત્યાં તેઓશ્રીને દેના અને અસુરેના અનેક ઉપ સર્ગો થયા તે સર્વે તેઓશ્રીએ ઘણી શાંતિથી પિતાનાં તેજથી અને બળથી સહન કર્યા. તેઓશ્રીએ તીર્થના તેમજ મનુષ્યના ઉપસર્ગો પણ તેટલા જ પૈયેથી સહન કર્યા. ૧ પાદપેપગમ. એ અણશણનો એક પ્રકાર છે. ખાવું નહિ તે. આહારત્યાગ. એના બે ભેદ છેઃ (૧) ઈવર અને (૨) યાત્મથિક. ઉપવાસથી માંડીને છે માસ સુધી ભેજનયાગ તે ઈવર અને યાવતજીવ ત્યાગ તે ચાવત્રુથિક, એ બીજા યાવકયિકના ત્રણ વિભાગ છેઃ પાદપપગમ, ઇગિતભરણું અને ત્રીજું ભત્ત પચ્ચ ખાણ. એ ત્રણે વળી નિહારિમ અને અનિહારિમ હોય છે. અણુશણ પછી શરીરને હલાવવું પડે, બહાર કાઢવું પડે તે નિહારિમ અને તે જ સ્થાનકે રહેવાનું તે અનિહારિમ. પાદપોપગમ” એટલે વૃક્ષની માફક એક જ સ્થળે નિશ્ચળ રહેવું. ચારે આહારનો ત્યાગ કરીને જે સ્થાને અણુશણ કર્યું હોય ત્યાં જ નિશ્ચળપણે રહે, પરંતુ પોતાની મેળે હાલે ચાલે નહિ, શરીરની કોઈ પણ પ્રકારે શુશ્રુષા કરે કરાવે નહિ એ એનો ભાવ છે. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676