Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 656
________________ २०७० કેવલ્ય, ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૮ શુકલધ્યાન, તેઓશ્રીએ ત્યાર પછી ધર્મધ્યાન ધ્યાવતાં પિતાના અનેક કર્મોને નાશ કરી નાખ્યું. ત્યાર પછી તેઓશ્રીએ શુકલધ્યાન આદર્યું. પિતાના વીર્યરૂપ અગ્નિના જોરથી તેઓશ્રીએ કર્મનાં જાળાંઓને બાળવા માંડ્યાં. ક્ષપકશ્રેણિ. આખરે તેઓએ શુભ ધ્યાનમાં વધતાં વધતાં ક્ષ૫ કશ્રેણિ આદરી અને કમપૂર્વક કર્મોને બાળી નાંખ્યાં. ત્યાર પછી જ્યારે તેઓશ્રીએ પિતાના મહાન વીર્યથી ચારે ઘાતી કર્મોને ભસ્મીભૂત કર્યા ત્યારે તેઓશ્રીને અનંત વસ્તુઓને ગોચર કરનાર કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, પ્રકટ થયું. મહત્સવ, તે વખતે ચારે પ્રકારના દેવતાઓ તેઓશ્રીના ગુણેથી ખેંચાઈને તેમની પૂજા કરવા માટે ત્યાં એકઠા થયા. કિન્નરે તે વખતે મધુર સ્વરે ગાવા લાગ્યા, આકાશમાં દેવદુંદુભિ વગાડવા લાગ્યા અને દેવીઓ નાચવા લાગી. તેઓએ ચારે તરફથી નજીકના પ્રદેશમાંથી રજ-કચરો દૂર કર્યા, સુગંધી પાણીને વરસાદ વરસાવ્યો અને મનહર પુષ્પોની વૃષ્ટિ કરી. એ પ્રદેશમાં થયેલી સુગંધી પાણીની વૃષ્ટિથી અને ક્લેની ગંધથી તેમજ ચારે તરફ દૂર દૂર ફેલાતા દિવ્ય ગંધની સુવાસથી ત્યાં ખેંચાઈને આવેલા અનેક ભમરાઓએ પોતાનો સુંદર ઝંકારનો અવાજ કરીને આખા પ્રદેશને રમ્ય બનાવી દીધો. અત્યંત ભક્તિરસમાં લીન થયેલા દેવતાઓએ ચંદનથી કેવળીનું આખું શરીર લેપ્યું, દિવ્ય ધૂપથી વધારે સુવાસિત બનાવ્યું, તેજસ્વી દેદીપ્યમાન મુગટ સાથે તેઓ મુનીશ્વરને પગે પડી સ્તુતિ કરવા લાગ્યા અને પોતાની પાપશુદ્ધિ માટે તેમના પગની પવિત્ર રજ પોતાના માથાપર લઈને પિતાને અહોભાગ્ય માનવા લાગ્યા. ૧ ક્ષપકશ્રેણિક મોટી પ્રગતિ પછી જેને પાત થવાને હોય તે ઉપશમશ્રેણિ માંડે છે. સીધી પ્રગતિ કરનાર “ક્ષપક” માંડે છે. જુઓ ૪, ૮ ક. ૧૮ નોટ. (પૃ. ૨૦૨૭). ૨ અહીં ચાર પ્રકારને દેવસંઘ આ જણાય છે તેમાં ચાર પ્રકારના ભુવનપતિ, વ્યતર, તિક અને વૈમાનિકનો સમાવેશ થાય છે. મનુષ્ય ત્યાં આવ્યા હોય તેમ સંબંધ પરથી જણાતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676