________________
ઉપદે શપદ : ભાગ-૧
૪૫૭ પોતાનું ફળ આપવા માટે સમર્થ ન થાય. કારણ કે પરિશુદ્ધ આજ્ઞાની આરાધનાનો ભયંકર પણ અશુભકર્મોના ફળનો નાશ કરવાનો સ્વભાવ છે. (૩૨૩)
एतदेव प्रतिवस्तूपमया भावयतिवाहिम्मि दीसइ इमं, लिंगेहिं अणागयं जयंताणं । परिहारेतरभावा, तुल्लनिमित्ताणवि विसेसो ॥३२४॥
'व्याधौ' कुष्ठज्वरादौ समुद्भवितुकामे 'दृश्यते'ऽध्यक्षत एवावलोक्यत इदमफलत्वम्। कुतः? यतः, “लिङ्गै' रोगोत्पत्तिगमकैः शरीरास्वास्थ्यादिभिरुपस्थितैतैिश्च सद्भिरनागतं रोगोत्पत्तेः प्रागेव यतमानानामतियत्नं कुर्वताम् । कुत इत्याह-परिहारेतरभावात्। परिहारभावात् पिशितघृतादीनामुत्पित्सुरोगनिदानभावापन्नानामनासेवनात् । रोगनिदानपरिहारश्चैवं पठ्यते, यथा-"वर्जयेद् द्विदलं शूली, कुष्ठी मांसं ज्वरी घृतम् । नवमन्नमतीसारी, नेत्ररोगी च मैथुनम् ॥१॥" इतरभावादन्येषां केषांचिदनागतमयतमानानां तन्निमित्तापरिहारात् । उभयेषामपि कीदृशानां तुल्यनिमित्तानामपि प्राक् समानरोगोत्पादककारणानां विशेष उद्भवानुद्भवरूपः प्रत्यक्षसिद्धो वर्तत इति ॥३२४॥
આ જ વિષયને સમાનવસ્તુની ઉપમા દ્વારા વિચારે છે–
ગાથાર્થ-રોગોત્પત્તિને જણાવનારાં ચિહ્નોથી રોગ આવશે એમ જાણીને રોગ થયા પહેલાં જ યત્ન કરનારાઓને રોગ રૂ૫ ફળનો અભાવ પ્રત્યક્ષ જોવામાં આવે છે. તથા તુલ્ય નિમિત્તવાળા પણ જીવોને રોગનાં કારણોનો ત્યાગ કરવાથી અને રોગનાં કારણોનો ત્યાગ ન કરવાથી વિશેષતા પ્રત્યક્ષથી સિદ્ધ છે.
ટીકાર્થ-કોઢ અને જ્વર વગેરે રોગોની ઉત્પત્તિને જણાવનારાં શરીરમાં અસ્વસ્થતા વગેરે ચિહ્નો ઉપસ્થિત થયેલાં દેખાય ત્યારે સત્પરુષો એ ચિહ્નોને જાણીને રોગની ઉત્પત્તિ થયા પહેલાં જ રોગ ન થાય એ માટે અતિશય પ્રયત્ન કરે, ભવિષ્યમાં થનારા રોગનાં માંસભક્ષણ, ઘી વગેરે જે કારણો હોય તે કારણોનો ત્યાગ કરે, આથી તેમને રોગોત્પત્તિ ન થાય. આમ રોગ થયા પહેલાં પ્રયત્ન કરવાથી રોગના ફળનો અભાવ પ્રત્યક્ષ જ દેખાય છે.
રોગનાં કારણોનો ત્યાગ વૈદ્યકશાસ્ત્રમાં આ પ્રમાણે કહેવામાં આવે છે-“શૂળનો રોગી (જેને પેટ વગેરેમાં શૂળ ઉત્પન્ન થતું હોય તેવો રોગી) દ્વિદળનો (=કઠોળનો), કોઢ રોગી માંસનો, તાવ રોગવાળો ઘીનો, અતીસારના રોગવાળો નવા અન્નનો અને નેત્રના રોગવાળો મૈથુનનો ત્યાગ કરે.”
રોગોત્પત્તિનાં કારણો જાણવા છતાં જે જીવો રોગ થયા પહેલાં જ રોગનાં કારણોનો