Book Title: Updeshpad Granth Part 01
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 513
________________ ૪૬૪ ઉપદે શપદ : ભાગ-૧ હવે કહેલા અર્થને સિદ્ધ કરતા ગ્રંથકાર દાંતને કહે છે ગાથાર્થ–આ વિષયમાં સર્વનય વિશારદ મહામંત્રીનું દૃષ્ટાંત છે. આ મહામંત્રી મારિનિવારણના પ્રસંગથી જ્ઞાનગર્ભ એવા નામથી પ્રસિદ્ધિને પામ્યો. ટીકાર્ય–આ વિષયમાં=પુરુષાર્થથી કર્મનો ઉપક્રમ (=નાશ) થાય એ વિગતને સામાન્યથી સિદ્ધ કરવાના વિષયમાં. સર્વનય વિશારદ=આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિરૂપ નયોની વિચારણા કરવામાં વિચક્ષણ. આન્વીક્ષિકી=જિન અને જૈમિની આદિએ રચેલાં ન્યાયશાસ્ત્રોની વિચારણા તે આન્વીક્ષિકી નીતિ છે. ત્રયી= ઋગ્વદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણ વેદો. વાર્તા-લોકના નિર્વાહનું કારણ એવી ખેતી અને પશુપાલન આદિ આજીવિકાને વાર્તા કહેવામાં આવે છે. દંડનીતિ–દંડનીતિ એ રાજનીતિ છે. સામ, ભેદ, ઉપપ્રદાન અને નિગ્રહ એમ ચાર પ્રકારની રાજનીતિ છે. (ઉપપ્રદાન એટલે ભેટ કે લાંચ.) મહામંત્રી=સર્વ રાજ્ય કાર્યોની ચિંતા કરનારો હોવાથી અન્ય સર્વ મંત્રીઓનો ઉપરી હતો. આથી તે મહામંત્રી હતો. જ્ઞાનગર્ભ=આ મહામંત્રી બીજા કોઈ નામથી પ્રસિદ્ધ હતો. પણ એકવાર તેના સમગ્ર કુંટુબના મરણનો પ્રસંગ સહસા જ ઉપસ્થિત થયો. તેણે પોતાની બુદ્ધિથી) કુંટુબનું મરણ અટકાવ્યું. આથી તે જ્ઞાનગર્ભ એવા નામથી પ્રસિદ્ધ થયો. (૩૨૯) इदमेवोदाहरणं भावयितुं गाथादशकमाहवेसाली जियसत्तू, राया सचिवो उ णाणगब्भो से ॥ णेमित्तागम पुच्छा, अत्थक्कत्थाणि किं कस्स ॥३३०॥ मंतिस्स मारिपडणं, कइया पक्खारउत्ति तुसिणीया । सव्वेवि मंतिणिग्गम, काले णेमित्तिगाहवणं ॥३३१॥ पइरिक्के पुच्छा कह, सुयदोसा पच्चओ कुसुमिणोत्ति । पूजा वारण संवाय पुत्तमालोचण णिरोहो ॥३३२॥

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554