Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 13
________________ ઉદયસ્વામિત્વ * પ્રથમસંઘયણના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૩ ગુણઠાણામાં રહેલા મનુષ્યો અને ૧ થી ૫ ગુણઠાણામાં રહેલા પંચેન્દ્રિયતિર્યંચ છે. બીજા-ત્રીજા સંઘયણના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૧ ગુણઠાણામાં રહેલા મનુષ્યો અને ૧ થી ૫ ગુણઠાણામાં રહેલા પંચે.તિર્યંચ છે. ચોથા-પાંચમા સંઘયણના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૭ ગુણઠાણામાં રહેલા મનુષ્ય અને ૧ થી ૫ ગુણઠાણામાં રહેલા પંચે.તિર્યંચ છે. છેલ્લા સંઘયણના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૭ ગુણઠાણામાં રહેલા મનુષ્યો, બેઇન્દ્રિયાદિ તિર્યંચો અને લબ્ધિ-અપર્યાપ્ત ત્રસજીવો છે. * પ્રથમસંઘયણના ઉદયના સ્વામી વૈ.શરીરી સંજ્ઞીતિર્યંચ-મનુષ્ય, આહારકશરીરી, યુગલિકો અને આહારપર્યાપ્તિએ પર્યાપ્તા દેવ-મનુષ્યપંચેન્દ્રિયતિર્યંચો છે. મધ્યમ-૪ સંસ્થાનના ઉદયના સ્વામી આ.શરીરી, વૈશરીરી અને યુગલિકોને છોડીને આહાર-પર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૩ ગુણઠાણાવાળા મનુષ્યો અને ૧ થી ૫ ગુણઠાણાવાળા પંચે તિર્યંચ છે. હુંડક સંસ્થાનના ઉદયના સ્વામી આહાર-પર્યાપ્તિએ પર્યાપ્તા નારકો અને એકેન્દ્રિયાદિ તિર્યંચ-મનુષ્યો છે. 7 શુભવિહાયોગતિના ઉદયના સ્વામી આહારકશરીરી, વૈ.શરીરી સંજ્ઞી તિર્યંચ-મનુષ્યો, યુગલિકો અને શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા દેવ-મનુષ્યો – સંજ્ઞીતિર્યંચ છે. તથા અશુભવિહાયોગતિના ઉદયના સ્વામી દેવો, આ શરીરી-વૈ.શરીરી સંજ્ઞીતિર્યંચ – મનુષ્ય અને યુગલિકોને છોડીને શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા મનુષ્યોબેઇન્દ્રિયાદિ તિર્યંચો-નારકો છે. * આતપના ઉદયના સ્વામી સૂર્યના વિમાનની નીચે રહેલા, પર્યાપ્તનામકર્મના ઉદયવાળા શરીરપર્યાપ્તિએ પાર્યાપ્તા બાદરપૃથ્વીકાય છે. ઉદ્યોતના ઉદયના સ્વામી - સિદ્ધાંતના મતે અસંક્ષીપંચે. ને છેલ્લા સંઘયણ અને છેલ્લા સંસ્થાનનો જ ઉદય માનવામાં આવ્યો છે, પણ ૬ઢા કર્મગ્રંથના મતે લબ્ધિ-પર્યાપ્ત અસંજ્ઞીપંચે. ને દસંઘયણ અને સંસ્થાનનો ઉદય માનવામાં આવે છે. * વૈ. શરીરી સંશોતિર્યંચ-મનુષ્ય કુબડુ-ઠીંગણુ ગમે તેવું શરીર બનાવે, તો પણ સમચતુન્નસંથાનનો જ ઉદય હોય છે એ જ રીતે, વૈ. શરીરી સંજ્ઞીતિર્યંચ-મનુષ્ય ગમે તેવો ખરાબ અવાજ કાઢે, તો પણ સુસ્વરનો જ ઉદય હોય છે અને વાંકી-ચૂકી ચાલ હોય, તો પણ શુભવિહાયોગતિનો જ ઉદય હોય છે. જ કેટલાક આચાર્યભગવંત લબ્ધિ-પર્યાપ્ત અસંજ્ઞીપંચે. ને શુભ-અશુભવિહા., સુભગ, સુસ્વર-દુઃસ્વર, આદય-આદેયનો ઉદય માને છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74