Book Title: Tattvagyanni Gufama Aatmani Anubhuti
Author(s): Suresh Shah
Publisher: Mumbai Jain Yuvak Mahasangh

View full book text
Previous | Next

Page 18
________________ પ્રકૃતિના ત્રણ અંગ છે. ૧) સત્વ-એનો રંગ સફેદ છે. જે શાંતિનું પ્રતીક છે. ૨) રજસ-જેનો રંગ લાલ છે. તે શક્તિનું પ્રતીક છે. ૩) તમસ-તેનો રંગ કાળો છે. જે મંદબુદ્ધિનું પ્રતીક છે. આયુર્વેદિક જ્ઞાન કહે છે કે તંદુરસ્ત શરીરમાં સત્વ, રજસ અને તમસ પ્રકૃતિનું સમતોલન હોવું જોઇએ, તામસીક પ્રકૃતિનો માણસ બહુ ઉશ્કેરાય છે. યોગ: પતંજલિ યોગના પ્રણેતા કહે છે કે પાંચ પ્રકારની ચૈત્યભુમિ છે. ૧) મૂઢ ૨) શિપ્ત ૩) વિકશિપ્ત ૪) એકાત્ર ૫) નિરોધ અષ્ટાંગ યોગ ૧) યમઃ એટલે શું કરવું. ૨) નિયમ-કરેલા નિયમ પ્રમાણે વર્તવું. ૩) આસન-શીરનો વ્યાયામ. ૪) પ્રાણાયામ-શ્વાસ ઉપર વિજય. ૫) પ્રત્યાહાર-ધારણાની તૈયારી-આહારનું સમતોલન. ૬) ધારણા-લક્ષની તૈયારી. ૭) ધ્યાન-લક્ષ ઉપર એકાગ્રતા. ૮) સમાધિ-આત્મ સ્વરૂપમાં સ્થિરતા. બુદ્ધધર્મ બુદ્ધ ધર્મ શરૂ કરનાર ગૌતમ બુદ્ધ હતા. એમનું કહેવું હતું કે સત્યને સમજવાનું છે, જાણવાનું નથી. અજ્ઞાનનું આવરણ, તર્કબુદ્ધિથી ખસેડવાનું છે. એમનો ઉપદેશ દુઃખ અને પીડા દૂર કરવા માટે છે. ચાર મુખ્ય સત્ય ૧) દુઃખ ૨) દુઃખનું કારણ ૩) દુઃખના કારણને સમજવું ૪) દુઃખ દૂર કરવાનો ઉપાય છે. ક્ષણીકવાદ એટલે ક્ષણે ક્ષણે ચેતનામાં બદલાવ આવે છે અને કોઈ પણ પદાર્થ-તત્ત્વ નાશવંત નથી. પાંચ પ્રકારના મુખ્ય વિચાર: ૧) રૂપ સ્કંધ ૨) વેદના સ્કંધ ૩) સત્ય સ્કંધ ૫) સંસ્કાર સ્કંધ ૬) વિજ્ઞાન સ્કંધ છે. વિચારની પરિપક્વતા, તત્ત્વગુણ સમજવું અને આત્માને જાણવો એનો ઉદ્દેશ છે. આઠ પ્રકારની રીતથી સમજણ આવે છે. ૧) સમ્યક્ દૃષ્ટિ ૨) સમ્યક્ સંકલ્પ ૩) સમ્યક્ વાક ૪) સમ્યક્ કર્મ ૫) સમ્યક્ જીવ ૬) સમ્યક્ વ્યાયામ ૭) સમ્યક્ સ્મૃતિ ૮) સમ્યક્ સમાધિ. ગૌતમ બુદ્ધે કહ્યું કે નિર્વાણ દશામાં દરેક આત્માનું જ્ઞાન સરખું હોય છે. તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102