Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

View full book text
Previous | Next

Page 78
________________ [ ૬૬ ]. દેવદ્રવ્ય ગણાય તેમાં વિશેષ સ્પષ્ટતાની જરૂર ન હોઈ શકે. તદુપરાંત તે બીજા ઉલાસમાં આગળ વધતાં પં. શ્રી કનકવિજયજી ગણિકૃત પ્રશ્નના ઉત્તરમાં પૂ. આ. શ્રી વિજય સેનસૂરિ મ. શ્રી સ્પષ્ટપણે ફરમાવે છે કે, “દેવદ્રવ્ય ફક્ત દેવના કાર્યમાં જ વપરાય.” (સેનપ્રશ્ન ઉલ્લાસ બીજે પેજ ૮૮ ગુજરાતી અનુવાદ) નોંધ : આ બન્ને પ્રશ્નોત્તરો પરથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે, સ્વપદ્રવ્ય દેવદ્રવ્ય જ છે, ને તેને ઉપયોગ ફક્ત દેવની ભક્તિ નિમિત્તેના કાર્ય સિવાય બીજે ન જ થઈ શકે. ને તે પણ જિનમંદિર, જિનમુર્તિ, તથા જીર્ણોદ્ધારાદિના જ કાર્યમાં થાય અથવા દેવનિમિત્તના કાર્યમાં થાય. પણ પોતાના માટે પ્રભુ પૂજા કરવા માટે કેસર-સુખડ આદિમાં કે પૂજારી આદિને આપવા માટે તેવા પ્રકારના કારણના અપવાદ સિવાય ન જ થાય. જ્યાં તીર્થ આદિ સ્થળામાં જિનપૂજા આદિ માટે દેવદ્રવ્યને ન છૂટકે ઉપયોગ કરવો પડે તે વાત જુદી, બાકી દેવદ્રવ્યને ઉપગ તો પોતાને પ્રભુપૂજન કાર્યમાં ન લેવાય. - માલાની ઉપજની જેમ સ્વમદ્રવ્ય પણ દેવદ્રવ્ય જ ગણાય એ શાસ્ત્રમાન્ય હકીકતને હવે વધુ પિષ્ટપેષણ કરવાની જરૂર ખરી? હાથમાં રહેલા કંકણને જોવા માટે આરિસાની જરૂરત રહે છે શું? તદુપરાંત : રાધનપુરમાં વર્ષોથી એવી અશાસ્ત્રીય પ્રણાલી શરૂ થયેલ. જેના પરિણામે સુવિહિત આચાર્ય દેવ આદિ મહાપુરુષે શ્રી પર્યુષણ મહાપર્વમાં સ્વમ વાંચન બાદ સ્વમ ઉતારવાની વેળાયે સ્વદર્શન સમયે પિતે હાજર જ ન રહે, તેમ બનતું, કારણ કે સંઘના કેટલાક કદાગ્રહવાલા ભાઈઓની જડતાના કારણે સ્વમની ઉપજ સાધારણમાં લઈ જવાતી હતી, જેને અંગે પૂ. ભવભીરૂ સુવિહિત મહાપુરુષોએ ખૂબ જ વિરોધ કરેલો. છેવટે સ્વપ્ન-દર્શનની વેળાયે હાજર નહિ રહેવારૂપ અસહકાર કરેલ. પરિણામ વિ. સં. ૨૦૨૨ માં શાસ્ત્રવિહિત સુવિહિત મહાપુરુષોએ ફરમાવેલ જ આવ્યું.

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164