________________
પુત્ર સુભાષિત સમુચ્ચય
૩૩ રાજ્યનું ગૌરવ તે નાનામાં નાના ગામડામાં આ વિદ્યામંદિરની સ્થાપનામાં રહેલું છે. ગરીબ ગામડીઆની સ્થિતિ આપણે ત્યાં કે અન્ય સ્થળે જ્યાં જોશે ત્યાં ઘણું જ શોચનીય માલમ પડશે. એને બેજે અસહ્યા હોય છે. ગામડીઆની વેદના જાણવા શહેરના નાગરિકને કંઈ પડી નથી. ગામડીએ તે શ્રીમ તેની ધનલાલસાથી તેમ સ્વતંત્રતાના વાંચ્છુઓના ચિત્ર વિચિત્ર પ્રગથી બિચારે કચડાયલો જ રહે છે. એને બેલી ઈશ્વર જ હોય. આપણે એને હાથ સહાવે છે, એનાં જ્ઞાનચક્ષુ ખેલી એની સ્થિતિ સુધારી એને તારવે છે, પુસ્તકાલયની ખરી ઉપયોગિતા હું એમાં જોઉં છું.
૩૪ પુસ્તકાલયને આત્મા તે “લાઈબ્રેરીયન” જ હોય. કુશળ વિદ્વાન લાઈબ્રેરીઅન વિના પુસ્તકાલય હમેશાં નિજીવ ખેમું જ હોઈ શકે. લાઈબ્રેરીના કાર્યના અનુભવ સાથે એ કામ કરનારની પિતાની ફરજ પ્રત્યે એકનિષ્ઠા એ અતિ આવશ્યક છે. તે પુસ્તકના સંગ્રહસ્થાનનો રક્ષક માત્ર જ ન હૈ જોઈએ. પરંતુ જાતે વિદ્વાન હેવાની જરૂર છે. એનું કાર્ય પ્રેફેસરોના કરતાં ઓછું સંગીન નથી હતું. સખ્ત કાયદા વાપરવા કરતાં ઉદારતા અને આંખ આડા કાન : કરવાની જરૂર જણાય, ત્યાં તેવી રીતે નિયમને અર્થ કરી લાઈબ્રેરીને વ્યવહાર ચલાવવાની જરૂર છે.
–સુમંતરાય હકુમતરાય દેસાઇ, ૩૫ લોકે આપેલું શિક્ષણ ભૂલી ન જાય, તેમને આપેલું માનસિક દ્રવ્ય તેઓ સાચવી રાખે અને તેમાં વધારે કરે, પિતાની જવાબદારી સમજતાં શીખે અને છેવટે એ ભાર પિતાને જ માથે લઈ લેવાની યેગ્યતા સમજતા થાય—એ ઉદ્દેશથી પુસ્તકાલય પ્રવૃત્તિને આદર થયો છે.
–મણિલાલ લલ્લુભાઈ પરીખ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com