Book Title: Sramana 1999 10
Author(s): Shivprasad
Publisher: Parshvanath Vidhyashram Varanasi

View full book text
Previous | Next

Page 155
________________ ૧૪૮ જે નગરમાંહઇ દાનશાલા, પવધશાલા, ધરમશાલા, ગઢ મઢ મન્દિર પ્રકાર, ચુરાસી ચુટા હટશ્રેણિ, માંહઈ વસ્ત સંપૂર્ણ વરતાઈ...” ૧૩. દેવહર્ષકૃત પાટણની ગઝલ (સં. ૧૮૬૬) ખરતરગચ્છના મુનિ દેવ સં. ૧૮૬૬માં “પાટણની ગઝલ” એ નામનું એક સ્થલવર્ણનાત્મક કાવ્ય રચ્યું છે. ગઈ શતાબ્દીના પાટણની સ્થાનિક પરિસ્થિતિ, નોંધપાત્ર સ્થળો તથા વિશિષ્ટ વ્યક્તિઓ આદિનો માહિતી માટે આ રચના અગત્યની છે. એના અંતિમ પદ્ય-કલશરૂપ છપાની છેલ્લી બે પંક્તિઓમાં નીચે પ્રમાણે પંચાસરાના મન્દિરનો ઉલ્લેખ છે: પાટણ જસ કીધો પ્રગટ જિહાં પાંચાસર ત્રિભુવન ધણી, કવિ દેવ મુખથી કહે કુશલ રંગલીલા ઘણી.” કલશમાં આ રીતે એકમાત્ર પંચાસરા પાર્શ્વનાથના મન્દિરનો ઉલ્લેખ કર્યો છે, એ પાટણનાં જૈન મદિરોમાં એનું મહત્વ દર્શાવે છે. ૧૪. “પંચાસરા પાર્શ્વનાથ સ્તવન' આ નામની બે સંક્ષિપ્ત ભાષાકૃતિઓ જાણવામાં આવી છે અને તે બન્ને વડોદરા જૈન જ્ઞાનમંદિરમાં ૫. મુનિશ્રી હંસવિજયજીના શાસ્ત્રસંગ્રહમાં (પ્રતિ નં. ૩૩૯૪ અને ૪૫૧૫) છે. બન્નેય સ્તવનોમાં કર્તાનું નામ કે રસ્થા સંવત નથી, પણ લિપિ ઉપરથી સો-દોઢસો વર્ષ પહેલાં તે લખાયેલાં જણાય છે. પહેલું સ્તવન “પાસ પંચાસર ભેટ્યો હો, દૂખ મેચ્યો મુઝ ઘર આંગણે' એ પંક્તિથી તે બીજું સ્તવન “સુખકર શ્રીપંચાસરો પાસ, પાટણપુરનો રાજઓ” એ પંક્તિથી શરૂ થાય છે. બmયમાંથી કોઈ ખાસ એતિહાસિક હકીકત મળતી નથી. આ પ્રકારનાં બીજાં પણ સ્તવનો તપાસ કરતાં મળી આવવા સંભવ છે. ૬. મારા વડે સંપાદિત, ફાર્બસ ગુજરાતી સભા માસિક', એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૪૮માં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202