Book Title: Sramana 1999 10
Author(s): Shivprasad
Publisher: Parshvanath Vidhyashram Varanasi

View full book text
Previous | Next

Page 157
________________ ૧૫૦ પરંતુ ગુજરાતનો ૨૩૦ વર્ષનો ક્રમબદ્ધ ઇતિહાસ નિદર્શતો આ પ્રથમ જ ગ્રન્થ છે, અને તે દૃષ્ટિએ તેનું મૂલ્ય ધણું છે. બીજી રીતે પણ આ કાવ્યનું મહત્ત્વ ઘણું છે. મૂલરાજ જ્યારે પાટણનો અધિપતિ થયો ત્યારે તે પ્રદેશ તો‘-સારવંતમજુરુ ' તરીકે જ ઓળખાતો હતો. (મૂળરાજના પોતાના વિ. સં. ૧૦૪૩ના દાનપત્રમાં પણુ આ જ નામ આપેલું છે. ) મૂલરાજ જ્યાંથી આવ્યો તે રાજપૂતાનામાંના શ્રીમાલભિન્નમાલની આસપાસનો પ્રદેશ ત્યારે ‘ગુર્જરત્ર – જીગ્ગરત્તા – જીનવેરા ’ ગણાતો. ગુર્જરેશ્વર મૂલરાજ સારસ્વતમઃલનો રાજા અન્યો તે પછી ગુર્જરેશનો પ્રદેશ તે ગુર્જરમદ-ગુર્જરવેશ-મુત્ર-પુ[ર્ત્તા ' ગુજરાત કહેવાયો. આમ આપણા પ્રદેશને ‘ગુજરાત ’નામ પણ મૂળરાજના સમયમાં જ મળ્યું. (‘ગુજરાત’ વિષે વિશેષ ચર્ચા માટે જુઓ ડૉ. ભોગીલાલ સાંડેસરાકૃત ‘તિહાસની કેડી’ પૃ. ૧૩૧–૧પર) તદુપરાન્ત, આ પ્રદેશ સમૃદ્ધિની ઉચ્ચતમ કોટિએ પણ આ સોલંકીયુગમાં જ – સિદ્ધરાજ અને કુમારપાલના શાસનસમયમાં – પહોંચેલો. આ રીતે પુરાણકથાનુસાર જેનો મૂળપુરુષ બ્રહ્માના ચુલુક એટલે ખોખામાંથી ઉત્પન્ન થયેલો મનાય છે તે ચૌલુક્ય કે સોલંકીવંશનો યુગ ગુજરાતના પ્રતિહાસમાં સૌથી વધારે મહત્ત્વનો યુગ ગણાય, અને યાશ્રયમહાકાવ્ય પણ આ જ યુગનો ઇતિહાસ આપતું હોવાથી ગુજરાતના ઇતિહાસની દૃષ્ટિએ તેનું મહત્ત્વ અદ્વિતીય છે. ઇતિહાસ અને વ્યાકરણ એ બે આલમ્બનોને કારણે આ અઠ્ઠાવીસ સર્ગના મહાકાવ્યને ‘ત્યાશ્રય ’ નામ આપવામાં આવ્યું છે. પ્રથમ વીસ સર્ગના સંસ્કૃત યાશ્રયકાવ્યમાં મૂળરાજ સોલંછીની કારકિર્દીથી તે કુમારપાલના શાસનકાલ સુધીનો ઇતિહાસ આલેખી આઠ સર્ગના પ્રાકૃત યાશ્રયકાવ્યમાં કુમારપાલની અધૂરી કથાની પૂર્તિ કરવામાં આવી છે. આથી પ્રથમ વિભાગને ‘ ચૌલુક્યવંચોત્કીર્તન ' તથા દ્વિતીય વિભાગને ‘ કુમારપારિત ' પણ કહેવામાં આવે છે. ' હવે આપણે આ કાવ્યનું સંક્ષિપ્ત વસ્તુનિરીક્ષણ કરી લઈ એ. પહેલા સર્ગમાં અણુલિપાટક - પાટણ, રાજા મૂલરાજ, પ્રજાતી સુખસમૃદ્ધિ તથા રાજાપ્રજાપ્રીતિનું સુંદર વર્ણન આપી પછીના ચાર સર્ગમાં સૌરાષ્ટ્રના પ્રાપીડક ગ્રાહરિપુ ઉપરનો મૂલરાજનો વિજય વર્ણવ્યો છે. આ નિમિત્તે બન્ને પક્ષે ઉપસ્થિત અનેક રાજાઓનાં નામ આપવામાં આવ્યાં છે. ગ્રાહરિપુને તેની સ્ત્રીઓની આજીજીથી આંગળી કાપી છોડી મૂકયો, જ્યારે તેનો મિત્ર કચ્છનો લક્ષરાજ—લોકકથાઓનો લાખો ફુલાણી—યુદ્ધમાં હણાયો. ટ્ટા સર્ગમાં અંગ, વિન્ધ્ય, પાણ્ડ, સિન્ધુ, વનવાસ (ઉત્તર કાનડા), શરજાચલ (દેવગિરિ), કોલ્લાપુર, કશ્મીર (તેના રાજા માટે ‘ નીર ’ શબ્દ વાપર્યો છે, શ્લોક ૨૩), કુરુ અને પાંચાલ (હિમાલયની તળેટીથી ચમ્બલ નદી સુધીનો પ્રદેશ, જેની રાજધાની કામ્પીલ્થનગરમાં હતી) જેવા દૂર-દૂરના દેશોના રાજાઓ તરફથી મૂલરાજને ચરણે આવેલી વિશિષ્ટ બેટોનું વર્ણન છે, જે પછી લાટના દ્વારપે મોકલેલ નિષિદ્ધ લક્ષણોવાળા ગજરાજને હિંમત્ત બનાવી તેના ઉપર યુવરાજ ચામુણ્ડરાજે મેળવેલો વિજય આલેખેલો છે. સાતમા સર્ગમાં કાશી તરફ જતા ચામુણ્ડરાજ(વિ. સં. ૧૯૫૩થી ૧૦૬૬)ને માલવાના રાજાએ લૂંટતાં તેનો પુત્ર વલ્લભરાજ (વિ. સં. ૧૦૬૬) તેની આજ્ઞાથી માલવા પ્રતિ પ્રયાણ કરે છે, પરન્તુ માર્ગમાં જ શીતળાના અસાધ્ય વ્યાધિથી તેનું મૃત્યુ થાય છે અને એ વાત છુપાવી સૈન્ય પાછું ફરે છે. વલ્લભરાજ પછી રાજ્યારૂઢ થયેલા તેના ભાઈ દુર્લભરાજ (વિ. સં. ૧૦૬૬-૧૦૭૮) સાથેના મારવાઙ (મ ્) ના રાજા મહેન્દ્રની બહેન દુર્લભદેવીના સ્વયંવરલગ્નનું તથા તે નિમિત્તે દુર્લભરાજના બીજા ધણા રાજાઓ સાથેના યશઃપ્રદ યુદ્ધનું વર્ણન પણ આ જ સર્ગમાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202